________________
અંતરમાં સ્થિર થતું નથી. અનેક શંકા અને સમાધાનની જાળમાં બુદ્ધિ ગૂંચવાઈ જાય છે, અને અનેક સંપ્રદાય, મત આદિ જોઈ એ કે ઉપર વિશ્વાસ કરતી નથી. એવા વિક્ષેપ – દોષને ટાળવાને અર્થે અભ્યાસીએ – મુમુક્ષુએ ઉપસનાને-ભજનદેવવંદનને આશ્રય કરવો ઘટે. કેઈ એક ઈષ્ટને માની તેને અર્ચનનો સમગ્ર વિધિ યથાર્થ રીતે ગુરુમુખે – શાસ્ત્રથી પ્રાપ્ત કરે ઘટે. (જિનદેવદર્શન-વંદનની વિધિ આ પુસ્તકમાં આપેલ છે.) એવા વિધિમાત્રમાં તે-તે દેવની ઉપાસનાની રચના એવી રીતે કરેલી પ્રતીત થશે કે બાહ્ય પ્રદેશમાં તે દેવનું સ્થાપન-અર્ચન કરવા ઉપરાંત તે દેવની આંતરભાવના સ્પષ્ટ રીતે થઈ જાય, બાહ્ય આંતરમાં પ્રવિલાપ થાય અને ઉપાસક ઉપાસ્યનું એકરસ – એકાકાર ધ્યાન રહે. આવશ્યકનિત્યકર્મ આદિ ક્રિયાઓથી જેમ મળને નાશ થાય છે, તેમ દેવવંદનાદિ ઉપાસનક્રિયાથી વિક્ષેપનો નાશ થાય છે. કિયાકર્મને આચાર કરતે કરતે જેમ બુદ્ધિ સતેજ થઈ એના એ જ કર્મમાર્ગમાં પરમાર્થની ભાવનાને આશય ઉપજાવતી થાય છે, તેમ ઉપાસનામાં એકાગ્રતા પામતું અંતઃકરણ પરમાર્થભાવનામાં સ્થિર રહી તન્મયતા પાળવાને પણ સમર્થ થાય છે. ક્રિયા – કર્મને પરિપાક જ્ઞાન છે, ઉપાસનાને પરિપાક તન્મયતા છે. ક્રિયા – કર્મને જેમ જેમ પરિપાક થાય છે, તેમતેમ તે સકામોને અસ્ત થાય છે, ને નિષ્કામ આચારમાત્ર જ અવશેષ રહે છે. નિષ્કામ કર્મને પરિપાક થતાં કર્મમાર્ગની અસારતા સમજાય છે અને ઉપાસનાની તન્મયતામાં રસ આવે છે, ઉપાસનાને પરિપાક થતાં સકામતા રહિત તન્મયતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org