________________
૯૬ : જિનવદશન જે ત્રિવિધ એટલે મન-વચન-કાયાએ ત્રિદંડ એટલે અશુભ મન, વચન, કાયારૂપ ત્રણ દંડને નિવાર્યા છે તેમને મારે નમસ્કાર થાઓ.
જાવંત કેવિ સાહુ સૂત્રનું ગુજરાતી મહાવિદેહે ભરતે, અરવતે જેટલા સાધુ હૈયે, ત્રિદંડવિરતિવાળા, તે સર્વેને ત્રિવિધે હું પ્રણમ્.
વિવેચન–મને દંડ એટલે મનનું કુધ્યાનમાં વર્તવું; વચનદંડ તે સાવદ્ય વચન બેલવાં અને કાયદંડ તે કાયાને કુવ્યાપારમાં પ્રવર્તાવવી.
આ પછી ચૌદપૂર્વમાં રહેલ “નમેહત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય એ લઘુસૂત્ર વડે શ્રી પંચપરમેષ્ઠીને નમસ્કાર કહે. આ કહેવાને હેતુ એ છે કે પંચપરમેષ્ઠીને એ દરેક કાર્યના પ્રારંભમાં, મધ્યમ અને અંતમાં મંગલરૂપ છે. આ ચૈત્યવંદનના મધ્યમાં તેથી આ મંગલભૂત પંચપરમેષ્ઠીનું સ્મરણ થવું જોઈએ.
આવું મંગલ પુનઃ પુનઃ કરવા યંગ્ય છે, કારણકે, સુબુદ્ધિ અને દઢતા કાર્યના અંત સુધી રહેવી બહુ જ મુશ્કેલ છે કારણકે દરેક કાર્યમાં તેમાં ખાસ કરીને શુદ્ધ શ્રદ્ધા રહેવામાં અનેક વિદને છે. ઘણું ભવ્ય છાને ખરાબ સંજોગના ભેગા થવાથી શ્રદ્ધાભ્રષ્ટ થતાં આપણે નજરે જોઈએ છીએ. દુનિયામાં યુક્તિ કરતાં કુયુક્તિઓનું પ્રાબલ્ય અજ્ઞાનીએના માટે વધારે અસરકારક થઈ પડ્યું છે, તેથી ઘણા જીવે ભવભ્રમણની સામગ્રી મેળવી મનુષ્યભવ હારી જાય છે. આવી કુબુદ્ધિ કેઈપણ સંજોગમાં મારી ન થાઓ અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org