SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ : જિનદેવદર્શન શ્રાવક અને શ્રાવિકાને છે. સાધુ અને સાધ્વીને તે ભાવપૂજા કરવાને અધિકાર છે. હવે દ્રવ્યપૂજાને વિશેષ વિસ્તાર ન કરતાં ભાવપૂજા પર આવીએ. ભાવપૂજામાં મુખ્ય હેતુ એ છે કે સામાન્ય પ્રભુની સ્તુતિ, તે પ્રભુના ગુણ સાથે પિતાના આત્માની સરખામણી અને તે પ્રભુપદ મેળવવાની ભાવના કરવી. સ્તુતિના પ્રકાર પ્રભુનાં સ્તુતિસ્તવનાદિ સામાન્યપણે ચાર પ્રકારે કરવામાં આવે છે: ૧. ચાંચા પ્રભુ પાસે મોક્ષસુખ આદિની માગણી કરવાની રચનામય સ્તુતિ કરવી તે. ૨. ગુણોત્કીર્તનઃ પ્રભુના બાહ્ય અને અત્યંત ગુણેના વર્ણન સાથે તેમની વાણું અને અતિશય આદિનું નિરૂપણ કરવું તે. સ્વનિંદાઃ પોતાની નિંદા પ્રભુ સમીપ કરવી તે. આનું મુખ્ય ઉદાહરણ રતનાકરપચીશી છે. આત્મસ્વરૂપાનુભવ: પ્રભુ સન્મુખ નિશ્ચય સ્વરૂપથી પિતાનામાં અને પ્રભુમાં કાંઈ પણ અંતર નથી એમ અનુભવ સહિત સબળ આત્મસ્વરૂપના નિરૂપણ સાથે સ્તુતિ કરવી તે. આ રીતે સામાન્ય સ્તુતિ કરવાને નિયમ છે. ભાવપૂજા એક લેકથી તે એક હજાર ને આઠ કલાક સહી કરાય તે ન લેક સુધી કરાય તેપણ ઓછી છે. પ્રભુની નિયમિત સ્તુતિ અમુક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy