________________
પૂજાને પ્રસ્તાવ : ૭૯ સ્વરૂપાનુભવ કરતે તલ્લીનતા કરી અનાદિકાલના સત્તાગત પૂજ્ય સ્વભાવને પ્રગટ કરે. ભાવાર્થ એ કે પહેલાં હું પણ પૂજ્ય અનંતગુણ છું એ નિર્ધારરૂપ સમ્યગ્દર્શન પ્રગટે, સ્વાદુવાદ સત્તાનું ભાન થાય, પછી જે સત્તા પ્રગટી, તેના રમણરૂપ- અનુભવરૂપે ચારિત્રગુણ પ્રગટે, પછી શુકલધ્યાન પ્રગટે, પછી નિરાવરણ કેવલજ્ઞાન પ્રગટે. આવી રીતે પરમપૂજ્ય શ્રી અરિહંતને પૂજવાથી પિતાને પૂજ્ય સ્વભાવ પ્રગટે.
પૂજાના પ્રસ્તાવ હવે આપણે પ્રભુની પૂજા-સ્તુતિ આદિ જે સૂત્રથી કરીએ છીએ તે સર્વ હેતુ સહિત વિચારીએ. પ્રભુની પૂજા સામાન્ય પ્રકારે બે ભેદે છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્યપૂજા મુખ્ય ત્રણ પ્રકારે છેઃ અષ્ટપ્રકારી, સત્તરભેદી અને એકવીશ પ્રકારી. તેમાંની કેટલીક દ્રવ્યપૂજા અંગપૂજા તરીકે કરવામાં આવે છે, કેટલીક અગ્રપૂજા તરીકે કરવામાં આવે છે. પ્રભુના અંગ ઉપર ચીજો ચડાવીને પૂજા કરવામાં આવે છે તેને અંગપૂજા કહે છે, અને પ્રભુ આગળ સામગ્રી મૂકીને પૂજા કરવામાં આવે છે તે અગ્રપૂજા કહેવાય છે. આનું વર્ણન આપણે આગળ કરી ગયા છીએ.
હાલમાં જે નવપદની ૯૯ પ્રકારની તથા બીજી પૂજા થાય છે તે સર્વને સમાવેશ ઉપરની અષ્ટપ્રકારી, સત્તરભેદી અને એકવીશ પ્રકારી પૂજામાં થઈ જાય છે.
દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બંને કરવાને અધિકાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org