________________
૭૬ : જિનદેવદર્શન
સંવરરૂપ છે, માટે અવશ્ય કરવા ગ્ય છે. ભાવપૂજા એટલે ગુણગુણની એકતારૂપ પૂજા તેનું કારણ ઉપર્યુક્ત દ્રવ્યપૂજા છે.
આ ભાવપૂજા બે પ્રકારે છે. એક તે પ્રશસ્ત અને બીજી શુદ્ધ. પહેલામાં પ્રશસ્તરાગ મુખ્યપણે હોય છે. તે પ્રશસ્તરાગ શું છે?
પ્રશસ્ત એટલે ગુણી ઉપર રાગ, જે વિષય, પરિગ્રહ ઉપર રાગ છે તે કર્મબંધ હેતુ છે; એટલે સ્વાર્થી પ્રેમ જે કે સ્ત્રી પ્રત્યેને, માતા આદિ પ્રત્યે પ્રેમ. એ રાગ, મેહ આદિને લઈને હોય તે તે કર્મબંધરૂપ જ છે; પરંતુ અરિહંતાદિ પંચપરમેષ્ટી, આગમ અને સાધમિક ઉપર પક્ષપાત વિના ગુણ પણા માટે જે રાગ તે પ્રશસ્તરાગ જાણુ. આ રાગ યદ્યપિ પુણ્ય ધને હેતુ છે, તથાપિ છતાં આત્મગુણને સ્થિર થવાને તથા નવા પ્રગટ કરવાનો હેતુ છે.
આનાં ઉદાહરણ જોઈએ. ચરિત્રગ્રંથમાં આપણે જોઈએ છીએ કે કેટલીક વખત રાજકુમારી આદિ કેઈને પરણવા ઈચ્છતી નથી ત્યારે તેનાં માતાપિતા જુદાજુદા રાજકુમારની છબીઓ મંગાવી તે રાજકુમારીને આપે છે, અને બને છે એવું કે તેમાંથી એકની છબી જોઈ તે તરત જ તેની સાથે પરણવાની સંમતિ આપે છે. આવી જ રીતે કે રાજકુમાર આદિના સંબંધમાં બને છે. આનું કારણ પૂર્વભવને રહેલ છવપ્રેમ જ છે.
પૃથ્વીચંદ્ર અને ગુણચંદ્રને પ્રેમ ઠેઠ કલાવતી અને શંખરાજાના ભવથી તે એકવીશ ભવ સુધી ચાલ્યું આવ્યું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org