________________
અષ્ટપ્રકારી કન્યપૂજામાં ભાવના : ૭૩
આદિ પદાર્થો હાય છે, તેથી આશાતના થાય છે, અને અશુદ્ધ ઘીથી કાળાશ – મેશ બહુ થાય છે, અને તેથી મલિન રજકણા ફેલાય છે. બીજી વાત યાદ રાખવાની છે કે દીવા ઉઘાડા કદી ન રાખવા જોઇએ, કારણકે તેમ થવાથી કેટલાંક જીવડાં ફૂદાં, પત`ગિયાં આદિ તેમાં પડીને મરી જાય છે તેથી હિંસા સાથે આશાતના માટી થાય છે.
અક્ષતપૂજા: આ પૂજા અક્ષત(ચેાખા)ના સાથિયા વગેરેથી થાય છે. આ પૂજા કરતાં એ ભાવવાનું છે કે સાથિચામાં દર્શાવાતી ચાર ગતિમાંથી મુક્ત થઈ રત્નત્રયીની આરાધનાથી સિદ્ધ દશાનું અક્ષત – અખંડ પદ પ્રાપ્ત થાઓ ! નોંધઃ : અક્ષત આખા અને ઊંચી જાતના ચડાવવા જોઇ એ. કણકીના ન ચડાવવા જોઈએ.
હું
નૈવેદ્યપૂજા: આ પૂજા કરતાં એ ભાવવાનું છે કે, પ્રભુ ! આપ નિવેદ્યી છે અને સદા અનાહારી છે, આપની પાસે આ નૈવેદ્ય મૂકુ છું તે એ ભાવ સાથે કે હું આ સર્વે નૈવેદ્યના ત્યાગ કરી સદાને માટે આપના જેવુ' અનાહારી પદ પ્રાપ્ત કરું!”
નોંધ : ક દે ઇ પાસેથી વેચાતી લીધેલી મીઠાઈ નૈવેદ્યમાં વપરાવી જોઇતી નથી, તેનાં કારણમાં પહેલું એ કે તે મીઠાઈ કદાઈ માલન કપડાં પહેરી બનાવે છે, અને તેમાં અપવિત્ર સાકર, ઘી આદિ વપરાય છે; ખીજુ એ કે ખીજા માણસાના સ્પર્શાસ્પર્શી થવાથી સ્પર્શાસ્પા દ્વેષ આવે છે. આથી આશાતના થાય છે એ સ્પષ્ટ છે. મીઠાઈ ઘેર પાતે અગર સ્નાન કરાવી સારાં લૂગડાં પહેરેલ કઢાઈ પાસે શુદ્ધ રીતે શુદ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org