________________
અષ્ટપ્રકારી દ્રવ્યપૂજામાં ભાવના : ૭૧
કાઈથી પરીક્ષા કરી તેના ત્યાગ કરવા ઘટે છે.
પુષ્પપૂજા પુષ્પનું નામ સુમનસ્ છે, સુમનસના બીજો અસુંદર – શુદ્ધ મન થાય છે અને પુષ્પમાં સુગંધના ગુણ રહેલા છે, તેા પુષ્પપૂજા કરતાં એ ભાવવાનું છે કે ડે પ્રભુ! આ સુમનસ અપી એ ઇચ્છું છું કે મારું મન સુંદર – શુદ્ધ મને, અને તેમાં જેવી રીતે દ્રવ્યસુગધ રહી છે તેવી રીતે મારા મનમાં ભાવસુગંધ પ્રગટો !”
નોંધઃ જે-જે સામગ્રી પ્રભુને ચડાવાય, પ્રભુ પાસે મુકાય તે-તે સામગ્રી શુદ્ધ હોવી જોઈએ એ સૌ કોઈ કબૂલ કરશે. પુષ્પા શુદ્ધ હાવાં જોઈએ એટલે વાસી ન હેાવાં જોઇએ, તેમ તે સુગંધી, સુંદર અને સારાં તથા પાંખડી છૂટી કર્યાં વગરનાં આખાં હોવાં જોઈએ. આજકાલ પુષ્પા વેચાતાં લઈ ચડાવવામાં આવે છે તેથી તેમાં ઉપરના વિવેક રહેતા નથી. સવારના વહેલાં લઈ આવી વેચનારા માળીએ પ્રાયઃ રાતનાં પુષ્પ રાખે છે, તેથી તે વાસી હોય છે, વળી કેટલીક વખત તેઓ પુષ્પની માળા કરતી વખતે દ્વારા પગમાં રાખે છે, અને તેથી મલિન થયેલા ઢારા પ્રભુપર ચડે છે, તે ટૂંકમાં એ કહેવાનું કે વાસી ન હેાય તેવાં, આખાં, સુગંધી પુષ્પો હાવાં જોઇએ અને આશાતના ન થવી જોઇએ. આની સાથે બીજું એ વિચારવાનું છે કે કેટલીક વખત આગળ જે સુંદર પુષ્પા પ્રભુને પૂજા કરતાં ચડાવ્યાં હોય, તે બીજો નવા પૂજક પેાતાનાં ગમે તેવાં પુષ્પા હાય તે પણ તેનાથી પૂજા કરવા આગળનાં સુંદર પુષ્પા કાઢી નાંખે છે; અથવા પૂજા કરતી વખતે તે પુષ્પાની સ'ભાળ રહેતી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org