SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ દશ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે. ૩૬૭] પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના તિચ ૧, અને અપ્રથમ સમયના તિર્યંચ ૨, એ બે માંહે કયા કયાથકી ઘેડા, ઘણું હોય? ઊત્તર–હે મૈત, સર્વથકી ઘેડ પ્રથમ સમયના તિર્યંચ છે ૧, તેથકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણ છે ૨, (તે એમ જે તિર્યંચ મરી તિર્યંચમાં ઉપજે ચવે છે તે સર્વે અપ્રથમ સમયનાજ કહીએ તે માટે.) એમ મનુષ્ય અને દેવતાનું અલ્પ, બહુત્વ જેમ નારકીનું કહ્યું તેમ પ્રથમ સમયનાથી અપ્રથમ સમયના અસંખ્યાત ગુણ કહેવા. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧, પ્રથમ સમયના તિર્યંચ ૨, પ્રથમ સમયના મનુષ્ય ૩, પ્રથમ સમયના દેવતા ૪, અપ્રથમ સમયના નારકી ૫, અપ્રથમ સમયના તિર્યંચ ૬, અપ્રથમ સમયના મનુષ્ય ૭, અપ્રથમ સમયના દેવતા ૮, ને સિદ્ધ ૯. એ નવ માંહે ક્યા ક્યાથકી ડા, ઘણું હોય? ઉતર હે ગૌતમ, સર્વથકી ડા પ્રથમ સમયના મનુષ્ય છે ૧, તેથકી અપ્રથમ સમયના મનુષ્ય અસંખ્યાત ગુણું છે ૨, તેથકી પ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણ છે ૩, તેથકી પ્રથમ સમ્યના દેવતા અસંખ્યાત ગુણ છે , તેથકી પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યાત ગુણ છે ૫, તેથકી અપ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણું છે , તેથકી અપ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણ છે છે, તેથકી સિદ્ધ અનંત ગુણ છે ૮, અને તેથકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણ છે ૯. Rારા એ શ્રી જીવાભીગમ સૂત્રે નવ વિધ સર્વ જીવની પ્રતિપતિ સંપૂર્ણ થઇ. ૧૪૭દશ પ્રકારે સર્વ જીવના આળાવા બે, તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અ૫, બહુને આંધકાર, ત્યાં જે આચાર્ય એમ કહે છે જે દશ ભેદે સર્વ જીવ કહ્યા છે તે કહે છે પૃથ્વિકાયા ૧, અપકાયા ૨, તેઉકાયા ૩, વાયુકાયા ૪, વનસ્પતિકાયા ૫, બેઇદ્રિક, તેઈદિ ૭, ચરેિંદિ ૮, પચંદ્રિ ૯ અને અનેંદ્રિ ૧૦. (તે સિદ્ધ.). પ્રશન–હે ભગવંત, પૃથ્વીકાયા જીવ પૃથ્વીકાયાપણે કેટલે કાળ રહે? ઉતર-હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતે કાળ અસં ખ્યાતી ઉત્સપિણું, અવસર્પિણી એ કાળથી જાણવું, અને ક્ષેત્રથકી અસંખ્યાતા લેકના જેટલા આકાશ પ્રદેશ હોય તેટલી ઉત્સર્પિણી, અવસર્પિણી લગી રહે. એમ અપકાયા ૧, તેઉકાયા ૨ અને વાયુકાયા ૩. એ ત્રણેને પૃથ્વીકાયાની પરે કહેવું. પ્રશ્ન–હે ભગવંત, વનસ્પતિકાયા જીવ વનસ્પતિકાયપણે કેટલે કાળ રહે? ઉત્તર– હે ગીતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણ અનંતા કાકાશ પ્રદેશ જેટલી. અસંખ્યાતા પુદ્ગળ પરાવર્ત આવળીકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય હોય તેટલા પુદ્ગળ પરાવર્ત લગી રહે. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy