SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતર સિદ્ધને પંદર ભેદ, છે–એક સર્વોત્કૃષ્ટ પદ દુઃખનું સ્થાનિક છે, અને બીજું સર્વોત્કૃષ્ટ પદ સુખનું સ્થાનિક છે. તેમાં સર્વેક દુઃખનું પદ સાતમી નરક પૃથ્વીની પ્રાપ્તિ છે, અને સર્વોત્કૃષ્ટ સુખ તે મોક્ષપદની પ્રાપ્તિ છે. તેમાં સપ્તમ નરક પૃથ્વીને વિષે સ્ત્રીનું ગમન થઈ શકે નહીં એમ સિદ્ધાંતમાં કહ્યું છે. જ્યારે એવું પાપ ઉપાર્જિતવીર્ય સ્ત્રીને હેતું નથી ત્યારે મોક્ષપદનું ઉપાર્જન કરવા જેવું મનોવીર્ય તે સ્ત્રીને ક્યાંથી હોય? માટે સ્ત્રીને મોક્ષનો સંભવ નથી. વળી સ્ત્રીએ પુર્વ ભવાંતરને વિષે માયા મેહની કર્મનું ઉપાર્જન કર્યું હોય છે કે જેથી સ્ત્રીવેદ મળે છે. માટે સ્ત્રી માયાવી જ હોય છે. તે કારણ માટે તે સ્વભાવે કુટીલજ હોય છે. એવા ન્યાયે કરીને સ્ત્રીને ચારીત્રની પ્રાપ્તિ થાય નહીં. વળી સાધુ તે વનવાસી હોય છે. જ્યાં ઘણું મનુષાદિકને સંઘટ હોય ત્યાં સાધુ રહે નહીં કેમકે ત્યાં જ્ઞાન ધ્યાનને વ્યાઘાત થાય છે. અને સ્ત્રીથી તે એકાકી રહેવાતું નથી. જ્યાં વસ્તી હોય ત્યાં જ રહી શકાય છે. કેમકે સ્ત્રીને એકાકી વિચરતાં તેના શીલમાં વીના પડે છે, ઘણામાં રહેતાં પ્રતિબંધ નડે છે, અને રાગદ્વેષમાં પડે છે, માટે સ્ત્રીને ચારીત્ર પણ નહીં તે ચારીત્રના અભાવે મેક્ષ તે કયાંથી જ હોય? નિરાકરણ – (સિદ્ધાંતી). સ્ત્રીને વસ્ત્રનો પરીગ્રહ કહે નહીં જેની ઉપર મુછ હોય છે તેજ રીગ્રહ કહેવાય છે. મુછ વિના પરીગ્રહ કહેવાય નહીં તો મુછી પરીવૃત્તો, એમ શ્રી દસવિકાલીક સિદ્ધાંતમાં કહ્યું છે તે કારણ માટેજ ભરત ચક્ર. વત્તિ ખટ (છ) ખંડને ભક્તા, ચોસઠ હજાર અંતેઉરી સહીત દર્પણ સદનમાં બેઠે છતાં તથા સર્વ અલંકારે કરી અલંકૃત છતાં કેવળજ્ઞાન પામ્યો છે. કેમકે, તે વસ્તુથકી મુછથી રહીત હતા તે માટે જીવને મોટો પરીગ્રહ તો મમત્વ ભાવ છે. અને જે મમત્વ ભાવ થકી રહી છે તેને તે ધન્ય ધાન્યાદિ સંપત્તિ પણ બાધ કરી શક્તિ નથી. જે એમ ન માનીએ તે સંસારને વિષે સર્વ દારીશ્રી મનુષ્યોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇને મેક્ષનો પ્રસંગ આવશે, કેમકે, તેની પાસે કોઈ સમયે એક કેડી માત્રને પણ પરીગ્રહ હોતા નથી, તેમ છતાં તેવા પ્રાણીઓ તો સંસારમાં ઘણી રઝળતા દીઠામાં આવે છે, પણ તેઓની પાસે મુછરૂપ મેટો પરીગ્રહ હોય છે, માટે તેઓને શુભ દશા પ્રગટ થતી નથી વળી શ્રી વિતરાગે બે કલ્પ કહ્યા છે–એક જનકલ્પ ને બીજે સ્થિવરકલ્પ, તેમાં જીનકલ્પને સ્ત્રીને સંભવ નથી, પરંતુ સ્થિવર કલ્પનો સંભવ છે. પુર્વ પક્ષમાં કહ્યું છે કે, ઉત્કૃષ્ટપદનું બાધક મનોબળ છે, તે સ્ત્રીને હોતું નથી, માટે જેમ સ્ત્રી સાતમી નરકે જતી નથી, તેમ તે મેલને વિષે પણ ન જઈ શકે. એ યુક્તિ પણ પગ્ય નથી, એવો પણ કોઈ નિયમ નથી, કેમકે, કેટલાક પુરુષાદિકને ક્ષેત્ર ખેડવાનું સામર્થ્ય હોય છે, પણ શસ્ત્રાભ્યાસ કરવાનું સામર્થ્ય નથી હોતું તેથી શું થયું? કોઈને કોઈ એક કર્મની સ્પરણું ન થયાથી શું બીજા કર્મોની સ્કરણનો પણ અભાવ સમજો કે ? એમ છતાં જે હઠ કરી બેસશે તે બીજી ઘણી વાતમાં વિરોધ આવશે. જેમકે વધુમાં વધુ પાપ ઉપાજિને ભૂપર સર્પ નીચે બીજી નરક સુધી જ જાય છે અને પક્ષીઓ ત્રીજી Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy