SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અનંતર સિદ્ધના ૫દર ભેદ, ત્યાદિક જાણવા). તથા તે જે એકાકી વિચરવાને સમર્થ હોય તો એકાકી વિચરે છે, નહીં તે ગચ્છમાંજ વિચારે છે. અને જે પુર્વાધીત ભ્રત ન હોય તો અવશ્ય ગુરૂની પાસે જઇને વેષ ગ્રહણ કરે; અને તેની સાથે વિચરે એ નિયમ છે. અને પ્રત્યેકબુધ તો પુર્વભવાધીત શ્રુતજ્ઞાની જ હોય છે, ( તે જઘન્યથી અગીઆર અંગ તથા ઉત્કૃષ્ટથી કાંઈક ન્યુન દશ પુર્વ ભણેલે જાણો, એને લીંગ દેવતા દયે છે અથવા લીંગ રહીત પણ હોય છે. એમ શ્રુતિ તથા લીંગ એ ભેદ મળી ત્રણ ભેદ થયા. અને સ્વયં બુધને પાત્રાદિક દશવિધ ઉપાધી હોય છે એમ કહ્યું છે ને પ્રત્યેકબુધને તો જઘન્યથી બે પ્રકારનો જ ઉપધી કહ્યું છે. તથા ઉત્કૃષ્ટથી નવ પ્રકારને પણ ઉપધી કહ્યું છે. એ વસ્ત્ર વિના પણ ઉપધીને ભેદ જાણવા. ૭ જે બુધ એટલે આચાર્યના કહેલા ઉપદેશથી બોધને પામીને દિક્ષા લઈ અનુક્રમે મોક્ષને પામે. તે બુધિત સિદ્ધ જાણવા. ૮ જે સ્ત્રીનું લીંગ ચિન્હ) છતાં મુકિતલમિ વર્યા છે. તે સ્ત્રીલીંગ સિદ્ધ. તે લીંગ ત્રણ પ્રકારનું છે.– એક જેને પુમિદાહની પિઠે પુરૂષની અભિલાષા હોય; બીજું શરીર નિવૃતિ, નિતંબ તથા સ્તન ભાગાદિક જેને હોય; અને ત્રીજાં નેપથ્ય તે તિલક તબલ, નેત્રાંજન, વસ્ત્ર, હાર, ડેર અને નુપુરાદિ લક્ષણ બાહ્યકૃત શૃંગારરૂપ હોય છે, એ ત્રણ લીંગ છે. તેમાંનું અત્ર શરીર નિવૃતિ લક્ષણ લીંગ ગ્રહણ કરવું. તે છતાં ચારીત્રની પ્રાપ્તિ થઈને જે કેવલાવસ્થા પામીને મોક્ષે જાય તે સ્ત્રીલીંગ સિદ્ધ કહેવાય છે. આશંકા–વેદની વર્જના શા સારૂ કરી છે? - નિરાકરણ–વેદ છતાં યથાખ્યાત ચારીત્ર તથા કેવળજ્ઞાનની પ્રાપ્તી થતી નથી. માટે તેનો નવમે ગુણઠાણે અભાવ થાય, તો જ ઉપરલા ગુણઠાણે પ્રત્યે આરહ થઈ શકે છે, અને ત્યારપછી સર્વ ઘાતક કર્મોનો ક્ષય કરે છે માટે વેદ લક્ષણ લીંગ વજર્ય છે, અને શૃંગાર લક્ષણ પણ કાંઇ પ્રધાન નથી, કેમકે સોળે શૃંગાર સજીને સિંહાસન ઉપર બેઠેલી છતાં શુભ ધાને ભાવના ભવતિ થકી સ્ત્રી કેવળજ્ઞાન પામે છે. તેમ છૂગાર રહીત થઇથકી પૂર્વોક્ત અવસ્થાએ કરીને પણ કેવળજ્ઞાન પામે છે. માટે ગાર મોક્ષને ધક નથી. શરીરનો આકાર તે વિશેષે કરી રેધક હોયજ નહીં, કેમકે જ્યાં સુધી મનુષ્યગતિને વિષે મનુષ્યનું આયુષ્ય હોય છે, ત્યાં સુધીજ એ ચિન્હ હોય છે. આશંકા–દિગંબરી) સ્ત્રીને મોક્ષની પ્રાપ્તિ થતી જ નથી, કેમકે મોક્ષ થવું તે ચારિત્રને આધીન છે, તે ચારીત્ર સ્ત્રીને ઉદય આવે નહીં, કેમકે સ્ત્રીને સર્વથા પુરૂષ વિના રહેવાઇ શકાતું નથી. સ્ત્રીના અંગોપાંગ સર્વથા પુરૂષને અભિનવકારી છે; તેથી તે ઉઘાડાં રખાઈ શકાતાં નથી; અને તે ઢાંકવાને અર્થે વસ્ત્ર ધારણ કરવાં પડે છે. વસ્ત્ર રાખવાથી પરગ્રહ થાય છે, અને પરગ્રહવાળા મનુષ્યને મુને સંભવ હોય છે. જ્યાં સુધી જેને મુછ છે ત્યાં સુધી તેને સંજમની પ્રાપ્તિ થતી નથી; માટે સ્ત્રીને ચારીત્રની પ્રાપ્તિ ન થાય; અને ચારીત્ર વિના મોક્ષની પ્રાપ્તિ તે કેમ થાય? વળી સંસારમાં સર્વોત્કૃષ્ટ પદવીની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે, એ વાત બધાને સમ્મત છે. તે સર્વોત્કૃષ્ટ પદ બે પ્રકારનું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy