SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. -- -- - - સર્વદીશે. ચેકફેર પુરતી થકી પુરતી થકી રહે છે. વળી તે સુધર્મા સભાને વિષે મળે ઘણુંક સમ મનોહર ભૂમિભાગ છે. જાવત મણિ પ્રમુખના પર્શ પર્યત જાણવું. ચંદુયા પાલતા પ્રમુખ ભીતી ચીત્રામણ યુક્ત છે, જાવત્ સર્વ સુવર્ણમય છે, નિર્મળ છે, જાવત પ્રતિરૂપ છે. વળી તે બહુ સમ રમણીક ભૂમિભાગને વિષે ઘણું મધદેશ ભાગે કહાં એક મોટી મણિપીઠીકા કહી છે. તે મણિપીઠીકા બે જોજન લાંબી, પહોળી છે ને એક જન જાડ પણે છે, સર્વ મણિમય છે. તે મણિપીઠીક ઉપરે જહાં માણવક નામે ચૈત્યર્થંભ છે. તે માણુવક સૈયથંભ સાડા સાત જજન ઉંચા ઉંચ પણ છે, અધંકેશ ભૂમિમાબે ઊંડે છે ને અર્ધકોશ વર્ષભણે છે. તે ચૈત્યવંભને છ હાંસ છે. છ સંધી છે. ને છ સ્થાનકે શોભીત છે. વજી રત્નમય વૃત્ત પુષ્ટ સંસ્થીત છે. એમ જેમ મહેદ્રધ્વજ વર્ણવ્યું તેમ થંભને વર્ણન જાણવો. જાવત જેવા જોગ્ય છે. પ્રતિરૂપ છે. વળી તે માણવક ચિત્યથંભને ઉપરે છ કોશ જઇએ એટલે દેઢ જન જઇએ અને હેઠે પણ છ કેશ છાંડીએ એટલે દેઢ જેજન છાંડીએ ત્યાં મળે સાડા ચાર જેજનમાં ઘણું સુવર્ણમય, રૂપામય પાટીયાં છે. તે સુવર્ણમય, રૂપામય પાટીયાને વિષે ત્યાં ઘણું વજી રત્નમય નાગદેતા છે. તે જ રનમય નાગદંતાને વિષે ઘણું રૂપામય સીકાં છે. તે ઘણાં રૂપામય સીકોને વિષે ઘણાં વજ રત્નમય ગોળ વૃત્તાકારે દબડા કહ્યા છે. તે વજી રત્નમય દાબડાને વિષે ઘણી જીનદાતા છે. તે દાઢારૂપે શાધવતી પુદગળરૂપ જાણવી પણ તિર્થંકરની દાઢા નથી) તેણે કરી સનક્ષી થકી રહે છે. તે દાઢા વિજય દેવતાને ને બીજા પણ ઘણાં વ્યંતરીક દેવતા ને દેવાંજ્ઞાને અર્ચવા જેગ્યા છે, વાંદવા જોગ્ય છે, પુજવા જેગ્ય છે, ચંદનાદિકે, વસ્ત્રાદિકે સત્કારવા જોગ્ય છે, સન્માન બહુમાન દેવા જોગ્ય છે. કલ્યાણકારી, મંગળકારી દેવ સંબંધી. ચયનીપરે સેવા કરવા જોગ્ય છે. (જેમ ઈહલોકે ઈહલોકના સુખને અર્થે દેવતા પ્રમુખની સેવા કરે છે તેમ દેવતા પણ તે દાઢાની સેવા કેવળ સંસાર નિમિત્તે કરે છે. એ છત વહેવાર છે. એનાં પુજવાવાળા ભવ્ય, અભવ્ય, સમકિતિ, મિથ્યાવિ બધા દેવતા છે. વળી કહ્યું છે જે તે જીનદાતા વિજયદેવતા ને બીજા વ્યંતરીક દેવતા, દેવજ્ઞાને પુજવા જેગ્ય છે વગેરે બોલ કહ્યા પણ જે દટા પુજે કેવળી પરૂપિયો ધર્મ હોત તે સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવકા, સમદ્રષ્ટીને પુજવા જોગ છે વગેરે એ બાલ કહેત તે તે તે નથી. વળી બીજા ઘણું સિદ્ધાંતના ન્યાયથી તે દાઢાનું પુજવું છત વહેવારે છે પણ તેમાં ધર્મ નથી, કેમકે ધભાવસ?. નિપાહાર. એને નિતાદારે. એ ત્રણે એક ખાતે છે. વળી તે માણવક નામે ચૈત્યર્થભ તે ઉપરે આઠ આઠ મંગળીક છે ધ્વજા છે. છત્રા તિ છત્ર છે. છે. વળી તે માણવક નામે થંભને પુર્વ દીસે કહાં એક મોટી મણિપીઠીક છે. તે મણિપીઠીક બે જોજન લાંબી પિહોળી છે, જે એક જન જાડાપણે સર્વ મણિમય છે. જાવત્ પ્રતિરૂપ છે. તે મણિપીઠીક ઉપરે ઈહાં એક મોટું સીંહાસન છે. તે સીંહાસનનો વર્ણન પુર્વરે જાણો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy