SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ [૯૬ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિતિ, (પ્રહરણ વિશેષ) હળ, ગદા, મુશળ, ચક્ર, નારાચ, પ્રહરણ વિશેષ બરછી, તેમર, (પ્રહરણ વિશેષ) ત્રિશળ, લાકડું, જાવત્ ભીડમાળ. (આયુધ વિશેષ) ઇત્યાદિ રૂપ વૈધ્રુવે ને ઘણારૂપ વૈકુવતો થકા, મુદગળના રૂપ વૈધ્રુવે જાવત્ ભીડમાળ પ્રમુખના રૂપ વૈકુવે. વળી તે પણ સખ્યાતારૂપ વૈક્રુવે. પણ અસખ્યાતા રૂપ વૈધ્રુવે નહીં, તે પણ સંબંધ કરે પણ સબંધ કરે નહીં. તે પણ સરખાંજ કરે પણ અણસરખાં કરે નહીં. એહવા રૂપ વૈવ, વૈકુવીને માંહામાંહે એકખીજાની કાયાને વેદના ઉદેરે. તે વેદના ઉજલી, ઘણીજ આકરી, કર્કસ, કટુક, બીહામણી, નિપુર, ચડ, તિત્ર દુખદાય, દુર્ગમ, વિષમ, દુખે અહીયાસવા (ખમવા) જોગ્ય વેદના ઉદેરે. એમ જાવત્ ધુમપ્રભા પાંચમી નરક પર્યંત જાવું. (પ્રહરણ કૃત વેદના પાંચજ પૃથ્વી લગે છે તે માટે.) ને છઠ્ઠી, સાતમી નરકે, નારકી માંહેામાંહે ઘણાજ માટે રૂપે લેહના કંયાના રૂપ વન્દ્રના મુખ છે જેના એહવા કયા જેહવા છાણા મધ્યે કીડા ઊપજે છે તે પ્રમાણે વૈકલે, વૈતૃવીને એકબીજાની કાયા મધ્યે મુકે ત્યારે તે કંચુયા શરીરની ત્વચા (ચામડી) વગેરે ભક્ષણ કરતાં થકાં, પોતાને પ્રાક્રમે ચાલતાંથકાં, નારકીના શરીરમધ્યે પ્રવેશ કરતાંથયાં. શરીરને વિષે ઉજળી જાવત્ દુખે અહીયાસવા જોગ્ય વેદના ઉદેરે છે. પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી, શું શીતવેદના વૈદે છે, કે ઉષ્ણવેદના વેદે છે, કે શીતેા વેદના વેદે છે? ઉત્તર-હે ગાતમ, શીવેદના વેદતા નથી, કેવળ એક ઉષ્ણુવેદના વેદે છે. પણ સીતાધ્યુ વેદના વેદતા નથી. (સાતે વેદના તો સુખાકારી છે. માટે તે નારકીને હાય નહીં.) એમ જાવત્ વાળુપ્રભા ત્રીજી નરક સુધી ઉષ્ણુવેદના જાણવી. પ્રશ્ન—હે ભગવંત, ચેથી પકપ્રભાના નારકી સીત, ઉષ્ણ, તે સીતેષ્ણુ. તેમાં કઇ વેદના વેઠે છે? ઊ-તર-- હે ગતમ, સીત વેદના પણ વેદે છે, ને ઉષ્ણુવેદના પણ વેદે છે, પણ સીતાણુ વેદના વેદતા નથી. વળી તેમાં જે ઉષ્ણુવેદના વેઢે છે, તે ઝાઝા છે, તે જે સીવેદના વેદે છે તે નારકી થાડા છે. પ્રશ્ન-હે ભગવત, પાંચમી ધુમપ્રભાએ નારકી, શું સીતવેદના વૈદે છે, કે ઉષ્ણુવેદના વૈદે છે, કે સીતેાધ્યુ વેદના વેઢે છે? ઊ-તર—હે ગાતમ, સીતવેદના પણ વેદે છે, ને ઉષ્ણવેદના પણ વૈદે છે, પણ સીતાનવેદના વેદતા નથી. તેમાં જે સીતવેદના વેઢેછે તે નારકી ઝાઝા છે તે જે ઉષ્ણુવેદના વેદે છે તે નારકી થાડા છે. પ્રશ્ન-હું ભગવત, છઠ્ઠી તમપ્રભાએ નારકી કઇ વેદના વેઢે છે ? ( પુર્વલી રીતે પુછ્યું. ) ઉત્તર-હે ગાતમ, એક સીતવેદના વેદે છે પણ ઉષ્ણુ વેદના વેદતા નથી. તેમ સીતેાષ્ન વેદના પણ વેદતા નથી. એમ જાવત સાતમી નરક પર્યંત જાણવું, પણ એટલા વિશેષ જે સાતમી નરકના નારકી પરમ સીતવેદના વેઠે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy