SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય સમય-સમય, ક્ષણ-ક્ષણ કરતાં કાળનો પ્રવાહ અખંડ ચાલુ રહે છે. કાળ કદી પણ થોભતો નથી એ તો આપણે બધાં જ જાણીએ છીએ. કાળ એ એક દ્રવ્ય છે, તેમ જ બીજા પણ બધાં દ્રવ્યોની અવસ્થાઓનો પ્રવાહ અખંડતાથી – સમયે સમયે એક એક પર્યાય રૂપે આ પર્યાયક્રમ નિરંતર ચાલુ જ રહે છે. આ બધા કહેવાના ગપગોળાં નથી પણ તેને શાસ્ત્રાધાર છે. આચાર્ય અમૃતચંદ્ર જે આશરે હજાર વર્ષો પૂર્વે થઈ ગયાં તેમને કુંદકુંદાચાર્યના સમયસારગ્રંથ પર ટીકા (ગ્રંથ સમજવા માટેનું વિશ્લેષણ) લખી, તેને આત્મખ્યાતિ અથવા સમયસાર કલશ એમ કહે છે. તેમાંનો ૬૫ મો કલશ (ક્નકર્મ અધિકારનો ૨૦ મો કલશ) એમ છે. स्थितेति जीवस्य निरंतराया स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं यं स्वस्य तस्यैव भवेत् स कर्ता । અર્થ :- ચેતનદ્રવ્યનું પરિણમનરૂપ સામર્થ્ય અનાદિથી વિદ્યમાન છે એવો દ્રવ્યનો સહજ સ્વભાવ છે. આ પરિણામ શક્તિ નિરંતરાયા એટલે કે પ્રવાહરૂપ છે - તેમાં એક સમયમાત્રનો પણ ખંડ પડતો નથી. તે પરિણામ શકિત દ્વારા જીવ જે કોઈ (શુદ્ધ કે અશુદ્ધ) ભાવ કરે તેનો કર્તા તે જીવ પોતે જ હોય છે. આપણને કોઈ કોઈ વાર બહુ ક્રોધ આવે છે, ત્યારે ક્રોધનું કારણ આપણે અન્ય વ્યક્તિને માનીએ; પણ આ ક્રોધના કર્તા આપણે પોતે જ છીએ. દ્રવ્ય બદલતું રહેવા છતાં કાયમ રહે છે. અનિત્ય હોવાં છતાં નિત્ય હોય છે. નિરંતર બદલવાનો પર્યાયગત સ્વભાવ દ્રવ્યનો જ છે અને બદલાતા હોવાં છતાં ધૃવસ્વભાવ, ત્રિકાળી સ્વભાવરૂપે રહેવાનો સ્વભાવ પણ દ્રવ્યનો જ છે. દ્રવ્ય બદલાતું હોવાં છતાં બદલાતું નથી તે કેવું ભલા? એક દશ વર્ષના બાળકને આપણે ઓળખીએ, તેને જ પાછો વીસમે વર્ષે જોતાં તેમાં ઘણો બદલાવ થયેલો દેખાય છે. તોપણ તે, તે જ છોકરો છે તે આપણાં ધ્યાનમાં આવે છે. અવસ્થા બદલાઈ પણ તે તે જ (છોકરો) છે એમ સમજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy