SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્તિત્વ ગુણ ૪)પ્રથમાનુયોગમાં અનેક કથાઓ છે. એક જીવના અનેક ભવોનું તેમાં વર્ણન આવે છે. ભગવાન આદિનાથના સમયમાં મારીચિ નામનો જીવ હતો, તે જ કરોડો ... અબજો વર્ષો બાદ સિંહ થયો અને તે જ જીવ દશ ભવો પછી ભગવાન મહાવીર થયો અને આજે તે જ જીવ સિદ્ધ અવસ્થામાં છે. ૬૩ ૫) બાળક, જુવાન, વૃદ્ધ અવસ્થાઓમાં રહેનારો તે જ જીવ છે. શરીરમાં મોટો ફેરફાર થાય તોપણ તે જીવનું અસ્તિત્વ કાયમ છે. ૬) પચ્ચીસ વર્ષોપૂર્વે મને ક્રોધ આવ્યો હતો તેનું જ્ઞાન મને આ ક્ષણે થઈ શકે છે. ક્રોધ ગયાં પછી તેનું જ્ઞાન કરવાવાળો જીવ કાયમ છે. ૭) સાપે ડંખ મારેલી વ્યક્તિને મંત્રથી બોલાવિએ તો તે વ્યક્તિ કહે છે કે તે સાપ પૂર્વજન્મનો કોઈ વેરી હતો. ૮) ઉમાસ્વામી આચાર્યએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે - ‘‘ઉત્પાદવ્યયૌવ્યયુકત સત્ ।’’ ‘‘સવ્યલક્ષણમ્ ।'' અસ્તિત્વની સિદ્ધિ તો આપણે કરી પણ તે અસ્તિત્વનું-સત્તાનું સ્વરૂપ કેવું છે તે પણ સંક્ષેપમાં જોઇએ. ઉપર જણાવ્યા મુજબ એ સત્તા ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુકત છે. પ્રત્યેક દ્રવ્ય તે પોતાના ગુણો અને પર્યાયોથી યુકત હોય છે (ગુણપર્યયવદ્રવ્યમ્). તેમાંથી દ્રવ્ય અને તેના અનંત ગુણો નિત્ય હોય છે. ધ્રુવ હોય છે, તેમાં વધઘટ થતી નથી, તેમાં ફેરફાર પણ થતો નથી. છે એવા જ કાયમ રહે છે. પર્યાય પ્રત્યેક ક્ષણે નવી નવી થાય છે અને પ્રત્યેક સમયે પૂર્વ પર્યાયનો નાશ થાય છે. આ ઉત્પાદ અને વ્યય (ઉત્પત્તિ અને વિનાશ) પર્યાયમાં થતો રહે છે. દ્રવ્યનો પ્રત્યેક સમયે બદલાતો અંશ એટલે તેની અવસ્થા (પર્યાય) અને તે જ સમયે ધ્રુવ રહેવાવાળો-કાયમ રહેવાવાળો-અપરિવર્તનશીલ અંશ એટલે દ્રવ્ય અને ગુણ. દ્રવ્યનું લક્ષણ સત્ છે, એમ જ્યારે આપણે જોઈએ ત્યારે તે ‘સત્’ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુકત છે. દ્રવ્ય પણ સત્ છે (નિત્ય અંશ) અને પર્યાય પણ સત્ છે (અનિત્ય અંશ). દરેક સમયે દ્રવ્ય કોઈ ને કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy