SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય એટલે સર્વજ્ઞતાના સ્વરૂપની તથા તેના અગાધતાની જાણ થવાં માંડે છે. અનેક પ્રકારનાં જીવો, લક્ષ્યાવધી યોની, કાલગણતરી, પરિણામની વિચિત્રતા વિગેરે જોયાં બાદ સંસારસાગરની ઊંડાણની સમજ પડે છે. પ્રાપ્ત મનુષ્યપર્યાય કેટલી ટુંકી છે અને તેનો ઉપયોગ કરી, જિનવરકથિત માર્ગની ઓળખાણ અને પ્રાપ્તિ કરી લેવી તે જ એકમેવ ઉપાય છે તેની ડગલે ને પગલે જાણ થાય છે. ૪ આ અનુયોગ વાંચવાથી જ્ઞાનમાં ઊમેરો થાય, બુદ્ધિ પણ તીક્ષ્ણ બને છે, ઉપયોગ સૂક્ષ્મ બને છે, સર્વજ્ઞની પ્રતીતિ થાય છે. ૨૬ દ્રવ્યાનુયોગ : આને પરમાગમ અથવા અધ્યાત્મશાસ્ત્ર કહેવામાં આવે છે. તેમાં આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાં આત્માનું વર્ણન, બીજા દ્રવ્યોથી ભિન્નપણું, ભેદજ્ઞાન, આત્મિક શક્તિઓનું વર્ણન છે. દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજાવી તેના ભેદ-પ્રભેદ કહી સમજાવી પછી અભેદ એવાં આત્માવિષેનું વર્ણન અને તેને જાણવાનો માર્ગ કહ્યો છે. જિનવાણીની અગાધતા જોઈને આ અભ્યાસ મારાથી કેમ થશે? એમ લાગવું ન જોઈએ, કારણ કે જિનવાણીમાં તો શુદ્ધાત્માનું વર્ણન અને તે શુદ્ધાત્માને જાણી લેવાનો માર્ગ કહ્યો છે અને આ શુદ્ધાત્મા બીજો ત્રીજો કોઈ નથી હું પોતે જ છું એમ દરેકને લાગવું જોઈએ. મારી અભિનંદનની સભા ચાલુ રહે તો અનેક વકતાઓએ કરેલી મારી સ્તુતિ મને પ્રિય જ લાગશે, કંટાળો નહીં આવે, તેવું જ આ શાસ્ત્રોની બાબતમાં પણ લાગવું જોઇએ. આ શાસ્ત્રો વાંચવાની શરૂઆત ચોકકસ કયાંથી અને કેવી રીતે કરવી તે આપણે આગળનાં પત્રમાં જોઈશું એ જ તમારી બા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy