SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસ્ત્રોની અર્થ કરવાની પદ્ધતિ માત્ર શબ્દાર્થ નથી પણ બીજી ઘણી રીતો છે. તે આવા-શબ્દાર્થ (ગાથાર્થ), ભાવાર્થ, આગમાર્થ, જયાર્થ, મતાર્થ. સીધું સાદું ઉદાહરણ આપું. એકાદ અબુધ છોકરીને કહીએ કે જે આ દૂધ છે ને, તેમાં ઘી છે. તે જુદું પાડ જોઉં તે છોકરી એક તો ગુંચવાડામાં પડી જશે, નહીં તો આજકાલના હોશિયાર છોકરાની જેમ કહેશે, બા તમને કાંઈ જ સમજાતું નથી. જુઓ તમને દુધમાં ઘી કયાં દેખાવા માંડ્યું ? તેને બદલે ઘરની કોઈ જાણકાર સ્ત્રી, જેને દૂધમાંથી ઘી કેવી રીતે બનાવવું તેની ખબર છે અને હંમેશા તેને ઘી કાઢવાની ટેવ છે, તે દુધમાંથી ઘી કાઢવાની રીત-વિધી કહી શકશે. શબ્દાર્થ : ગાથાનો (શ્લોકનો) અથવા વાકયનો શબ્દશ: અર્થ કાઢવો તેને શબ્દાર્થ કહેવાય છે. માત્ર શબ્દાર્થ કાઢવાથી તેમાં રહેલો ભાવ સમજાશે જ એવું નથી. દા.ત. નાના બાળકો સિનેમાના ગાયનો ગણગણે છે “મુઝે પ્યાર હો ગયા' પરંતુ તેનો ભાવ બિલકુલ તેમને સમજાતો નથી. શાસ્ત્રોમાં રહેલ મર્મ જાણવા માટે શબ્દાર્થ સાથે ભાવાર્થ જાણવો જરૂરી છે. ભાવાર્થ : શબ્દોનો મર્મ સમજાવી કહેવાવાળો તે ભાવાર્થ. સંસ્કૃતપ્રાકૃતનો પ્રખર પંડિત છે માટે ભાવાર્થ કાઢી શકશે એમ નથી. શબ્દોના અર્થ સાથે તેની પાછળ રહેલો ભાવ (આશય) સમાવો જોઈએ. જેમ કે કોઈ છોકરો નિશાળમાં ગાપચી મારી, પૂછયાં વગર સિનેમા જોઈ આવે તો ગુસ્સામાં તેની મા તેને કહેશે, “બહુ સારું કર્યું ! જા પાછો બીજા શોમાં જઈ બસ !' માના બોલવાનો આશય સમજાય તો તેને પોતાની ભૂલ સમજાશે અને ફકત શબ્દાર્થ જાણનારો હશે તો તેને થશે કે મા પોતાના વખાણ કરે છે અને તે પાછો સિનેમા જેવા જશે. આગમાર્થ : જિનાગમ એટલે સંપૂર્ણ જૈન આગમ-શાસ્ત્ર. તેના ચાર અનુયોગોમાં વિભાજન કરાય છે. વિશિષ્ટ કથન અધ્યાત્મમાંથી છે, આચાર ગ્રંથોમાંથી છે, કરણાજ્યોગમાંથી છે કે પ્રથમાનુયોગોમાંથી છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy