SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાભ્યાસનો મહિમા અરિહંત-સિદ્ધ-સાધુને નમસ્કાર કરવાનો કોઈ ઉપયોગ નથી તો કેવળી પ્રણિત જે ધર્મ છે તેને શરણે જવું જોઈએ. એટલે કે તે માર્ગનો અવલંબ કરવો જોઈએ. ૧૫ ધર્મ વિષે અનેક લોકોની અનેક સમજણો-ગેરસમજણો જોવા મળે છે. કોઇના મતે આપણે ધર્મનો ઉદ્ધાર કરવો જોઈએ. એવા લોકોને જાણ નહીં હોય કે ધર્મનો આધાર લેવાથી દુ:ખી અને અજ્ઞ જીવોનો ઉદ્ધાર થાય છે. વસ્તુનું સ્વરૂપ (વસ્તુ એટલે દ્રવ્ય) એટલે જ ધર્મ. ધર્મ તો ત્રણે કાળમાં જેવો હોય છે તેવો જ રહે છે. જેમ અગ્નિનો ધર્મ ઉષ્ણતા. ૫૦૦૦ વર્ષ પહેલાં પણ અગ્નિ ઉષ્ણ જ હતો અને આજે પણ ઉષ્ણ જ છે. ભારતમાં પણ ઉષ્ણ છે અને અમેરિકામાં પણ ઉષ્ણ જ છે. આનો અર્થ એમ થાય છે કે વસ્તુનો ધર્મ (સ્વભાવ) ત્રણે કાળમાં અને ત્રણે લોકમાં એકસરખો કાયમ રહે છે, બદલાતો નથી. વસ્તુનું સ્વરૂપ અર્થાત ધર્મ, તેનું શાસ્ત્રમાં કથન છે. આપણે તેનો અભ્યાસ કરવો જોઈએ. અને તે પણ માર્ગદર્શન નીચે. નહીં તો પોતાની બુદ્ધિથી જુદો અર્થ કરી આમતેમ રખડવા માંડીશું. નિશાળમાં જેમ ક-ખગ થી શરૂઆત કરી ધીમેધીમે દરેક વર્ષે વધુ ને વધુ જ્ઞાન આપવામાં આવે છે તેવી રીતે જ પ્રારંભિક શરૂઆત કરી આગળ વધવું જોઈએ. ઘણાંખરાં લોકો આ તત્ત્વજ્ઞાનથી અને અધ્યાત્મથી દૂર જ રહે છે. ઘણાને આ એક Scientific Study છે તેની જાણ પણ નથી હોતી. અરે ! બીજાઓનું શું, મને પણ નાનપણમાં એવું જ લાગતું કે આપણા ભગવાન અને ગુરૂ દિગંબર હોય છે, આપણાં ઉપવાસ ઘણાં જ કડક હોય છે. પૂજા, વ્રત, દાન, ધર્મ, જાત્રા વિગેરે કરીએ એટલે ધર્મ થાય. સાચું તો તત્ત્વજ્ઞાનના અભ્યાસ વગર ધર્મનું સ્વરૂપ પણ સમજાતું નથી. તો પછી ધર્મ (વીતરાગતા) પ્રગટ કરવો તો દૂર જ રહ્યો ! બાકીના જે ખાધે-પીધે સુખી છે, થોડીઘણી લૌકિક સફળતા મેળવી છે, તેઓને એમ લાગે છે કે અમને આ તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મ જોઈતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy