SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય હું – એવી ભૂલભરેલી માન્યતા કરવાથી જ્ઞેયો સંબંધેનું જ્ઞાન પણ દૂષિત થાય છે. જેમ કે, શરીર એ જ્ઞેય છે પરંતુ શરીર એટલે હું એવું આપણે આજસુધી માનતા આવ્યા છીએ (એકત્વબુદ્ધિ). બાલ-બચ્ચા, ધનસંપત્તિ ઈત્યાદિ જ્ઞેય છે પરન્તુ આ બધાં મારા છે એમ માન્યું (મમત્વબુદ્ધિ) છોકરાઓ મોટા થયાં અથવા ધનનો સંયોગ થાય ત્યારે તે જ્ઞેય હોવાં છતાં મે છોકરાઓને મોટા કર્યાં, હું ધન કમાયો (કર્તૃત્વબુદ્ધિ). તેમ જ પરપદાર્થોનો સંયોગ થતાં એમાં સુખ માન્યું અને વિયોગમાં દુ:ખ માન્યું (ભોકતૃત્વબુદ્ધિ) આમ એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ એ માન્યતાથી યુકત હોવાથી જ્ઞેયો સંબંધેનું જ્ઞાન વિપરીત થયું છે. માત્ર પરપદાર્થો મારાં એટલું માની આ જીવ થોભ્યો નહીં, તો તે પદાર્થો વિષેનાં મોહ-રાગ-દ્વેષ પણ તેના જ્ઞાનમાં આવતો હોવાથી મોહરાગ-દ્વેષ એ મારૂં સ્વરૂપ છે, મારો સ્વભાવ છે એમ આ જીવે માન્યું. મોહ-રાગ-દ્વેષ એટલે આસવબંધ-વિકારી ભાવો છે. આ એટલે હવે જ્ઞાનમાં આત્મા (જ્ઞાતા) પણ જાણમાં આવે છે, પરપદાર્થો પણ જાણમાં આવે છે, આત્માના વિકારી-અવિકારી ભાવો પણ જાણમાં આવે છે અને પુણ્ય પાપ પણ જાણમાં આવતા રહે છે. બધું જ્ઞાનમાં આવતા હોય ત્યારે ‘હું’ પણું માત્ર સ્વ આત્મામાં જ દેખાશે, અન્ય બધી બાબતોમાં અહંપણાનો ભાવ-મમત્વનો ભાવ રહેશે નહીં ત્યારે જ સ્વ અનુભૂતિ થશે. પરપદાર્થો અથવા પોતામાં ઉત્પન્ન થનારાં રાગ દ્વેષને જાણવા ન જાણવાથી કંઈ ફેર નહીં પડે. તેમને પોતાના’’ જાણવામાં, નિજરૂપ જાણવામાં મિથ્યાત્વ થાય છે. તેમને ‘પર' રૂપે જાણવાથી અને પોતાને નિજરૂપમાં જાણવાથી ફાયદો થવાનો છે. પરને એટલે જ્ઞેયોને જાણતાં આ રાગદ્વેષ ઉત્પન્ન થતા હોય માટે સ્વ-પર ભેદવિજ્ઞાન કરતી વખતે આ રાગદ્વેષને પણ પરના ખાતે જમા કરવામાં આવે છે. તેમને પુદ્ગલ કહ્યાં છે, પરદ્રવ્ય કહ્યું છે, પરભાવ કહ્યો છે, ચૈતન્યનો વિકાર હોવાં છતાં તેમને જડ કહ્યાં છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ લેવાનો હોવાથી રાગદ્વેષોને પુદ્ગલના છે એમ કહી તેના પરનું આપણું સ્વામિત્વ છોડાવ્યું છે. અપેક્ષા સરખી રીતે ધ્યાનમાં લેવી જોઈએ. Jain Education International ૧૭૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy