SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્વ પરિચય પત્રાંક ? ૧૫ જુન ૧૯૯૩ સાચા દેવનું સ્વરૂપ પ્રિય સૌ. રીના અને મોના, ઘણાં ઘણાં આશિષ, ગયા પત્રમાં આપણે આત્મા છે' એ સિદ્ધ કર્યું તથા દરેક જીવ, આત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં લીનતા, સ્થિરતા એટલે કે રમણતા (આચરણ) કરી પોતે પરમાત્મા બની શકે છે તે પણ જોયું. આ પરમાત્માના સ્વરૂપને હજુ વિસ્તારથી જાણવું જરૂરી છે. પરમાત્મા એટલે ભગવાન અથવા ઈશ્વર એટલે પરમેશ્વર એટલે સાચા દેવદેવાધિદેવ. દેવ ગતિના જીવોને પણ દેવ કહે છે પણ તે અર્થ અહીં નથી. આપણે આપણું શુદ્ધાત્મ સ્વરૂપ જાણવા માટે શુદ્ધાત્મસ્વરૂપ જેમણે પ્રગટ કર્યું છે એવા વીતરાગી અને સર્વજ્ઞ એટલે ‘સાચા' દેવોને જાણવું ઘણું આવશ્યક છે; આવી વીતરાગતા કેટલાક અંશે પ્રગટ કરી છે એવા દિગંબર જૈન મુનિઓનું સ્વરૂપ, તેમ જ આ શુદ્ધ સ્વરૂપ અને તે પ્રાપ્ત કરવાનો માર્ગ જેમાં બતાવ્યો છે એવા સત્યાર્થ આગમોને એટલે સલ્લાસ્ત્રને જાણવું પણ ઘણું જરૂરી છે. “રત્નકરંડ શ્રાવકાચાર’ નામનો ગ્રંથ છે. તેમાં શરૂઆતમાં જ શ્લોક છે કે સત્યાર્થ આપ્ત (અરહંત ભગવાન), આગમ (એટલે જિનેન્દ્રકથિત ઉપદેશ) અને તપોભુત (એટલે દિગંબર મુનિ અથવા સાધુ)ને યથાર્થ જાણવું તે જ સમ્યક્રર્શનનું કારણ છે. તમે કહેતા હશો કે સમ્યફદર્શન વિષે શા માટે ફરીથી કહો છો? કારણ ત્યાંથી જ તો ધર્મની શરૂઆત થાય છે. માન્યતા એટલે કે શ્રદ્ધા યથાર્થ હશે તો જ જ્ઞાન અને આચરણ યથાર્થ થશે. સમ્યફદર્શન વગર કરેલાં વ્રતો, તપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy