SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય નિરાકુલતામય છે. અજ્ઞાની ભોગસંબંધીના સુખોને ખરૂં સુખ માને અને તેવાં પ્રકારના સુખો મોક્ષમાં હશે એવી કલ્પના કરે છે, એ તેની મોક્ષતત્ત્વસંબંધીની વિપરીત માન્યતા છે. ઘણાં અમને પ્રશ્નો પણ પૂછે છે કે, “અહો ! મોક્ષે ગયા પછી ત્યાં કરવું પણ શું ? કંઈ જ કરવાનું ન હોય તો પછી શું મજા !' ન આ જીવે બંધતત્ત્વનું સ્વરૂપ જાણ્યું નથી. દુ:ખ કર્મબંધનથી છે અને કર્મોનો પૂર્ણ અભાવ થવાથી જ પૂર્ણ સુખી થવાશે એમ ન જાણવાથી અર્થાત મોક્ષતત્ત્વસંબંધીની ભૂલ ભરેલી માન્યતા રાખવાથી પરવસ્તુઓને અને અનિષ્ટ સંયોગોને દુ:ખનું કારણ માની આ જીવ સંયોગોનો અને પરપદાર્થોનો નાશ-અભાવ કરવાની ઈચ્છા કરે છે અને નિરંતર નવા કર્મોનો બંધ કરતો રહે છે. ૧૫૦ આ બધું વિસ્તારથી જોયા બાદ એમ સમજાય છે કે જેણે પોતાના આત્માને જાણ્યો નથી તે સાતે તત્ત્વોસંબંધી ભૂલ કરતો હોય છે. સાત તત્ત્વોનું યથાર્થ જ્ઞાન તે સાત તત્ત્વોને જાણવા માટે નથી પણ એ શુદ્ધાત્માને એટલે કે પોતાને જાણવા માટે છે. આ સાત તત્ત્વોમાં પુણ્ય અને પાપનો આસવ અને બંધ એ બન્ને તત્ત્વોમાં સમાવેશ થાય છે. છતાં કોઈ આચાર્યોએ તે બન્ને બાબતોનું ભિન્ન કથન કરી નવ પદાર્થો એમ વર્ણવ્યા છે. સાત તત્ત્વો કહો કે નવ પદાર્થો કહો બન્નેનો અર્થ એક જ છે. ખરૂં જોતાં પુણ્ય અને પાપ કર્મોના નામો છે. બન્ને કર્યો હોવાથી બન્નેની જાત એક જ છે. બન્ને આકુલતા ઉત્પન્ન કરનારા હોવાથી ખરાબ જ છે. પરંતુ મિથ્યાદષ્ટિ જીવ પુણ્ય સારૂં અને પાપ ખરાબ એમ માને છે, કારણ પુણ્યથી આપણી ઈચ્છાનુસાર કાર્ય બને છે એટલે પુણ્ય સારૂં અને પાપથી ઈચ્છાનુસાર કાર્ય થતું નથી તેથી પાપ ખરાબ એમ સમજે છે. ખરું જોતાં સુખ દુઃખ એ જીવની મિથ્યા માન્યતાને કારણે હોય છે. શરીર એ જ હું એમ જીવ માને છે, અને શરીર ઠીક હોય તો હું સુખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy