SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ સાત તત્વોસંબંધી વિપરીત માન્યતા (ભાગ-૧) શરીર સુંદર હોય તો હું રૂપાળો કહી અભિમાન કરીએ, શરીર રોગી હોય તો હું રોગી કહી દુઃખી થાય, શરીર નવું મળ્યું તો મારો જન્મ, શરીર છૂછ્યું કે હું મરી ગયો. જુઓ હ ! આપણી માન્યતાઓ આવી છે કે નહીં કહ્યું જ છે, “તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપકો નાશ માન.” અહીં ફકત જન્મ મરણ કહ્યાં હોય તો પણ તે બે ઘટનાઓની વચલી બધી અવસ્થાઓને આપણે આપણી અવસ્થા માનતા આવ્યા છીએ. દા.ત. તન (શરીર) ગોરું હોય તો હું ગોરો, તન ઉચું હોય તો હું ઉચો, શરીર વધતું હોય તો હું વધુ છું, તન કદરૂપું હોય તો હું કદરૂપો, તન લંગડું લુલું હોય તો હું લંગડો લૂલો છું વગેરે માને છે. કેવળ શરીર સાથે એકત્વ કરીને આ જીવ થોભતો નથી. ધન-સંપત્તિ, ઘરબાર, બાલબચ્ચાં, કુટુંબ, બંગલો, ગાડી ઈત્યાદિ અત્યંત ભિન્ન પરપદાર્થો કે જે બધાં અજીવતત્ત્વ છે, તેમાં પણ એકત્વ કરે છે. અને તેને કારણે હું સુખી, હું દુખી, હું ગરીબ, હું પૈસાદાર, હું બાલબચ્ચાવાળો, હું નિરાધાર, હું હીન-દીન, એવી કલ્પના કરે છે. રોજીંદા જીવનમાં પણ આવી કલ્પનાથી લોકો દુઃખી થતાં દેખાય છે. કોઈ લગ્ન થતાં નથી માટે દુઃખી, તો કોઈને બાળક થતું નથી તો પોતાને અધૂરો માને કે વૈધવ્ય આવે તો પોતાને હીન-દીન સમજે છે. શરીર એ જ હું એવી મૂળમાં જ ભૂલ થવાથી તેના પર આધારેલી બધી સમજણો ભૂલ ભરેલી જ થાય તેમાં નવાઈ શી ? અનાદિકાલથી આ જીવ અનેક ગતિઓમાં ફરી રહ્યો છે. એક હું પોતે એટલે આત્મા + અનંત પુગલ પરમાણુ (શરીર) નો સંયોગ-વિયોગ થવો એટલે નવી નવી ગતિમાં જવું. મિથ્યાત્વને કારણે જીવ કેવી માન્યતા કરે તે જોઈએ. મોક્ષમાર્ગપ્રકાશકમાં નીચે મુજબ વર્ણન કર્યું છે. ૧) “યદ હૂં' - આ હું છું એવી આત્મબુદ્ધિ. આત્મા _પુદ્ગલ સ્વભાવ સ્વભાવ (જ્ઞાનાદિ) વિભાવ (ક્રોધાદિ) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy