SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયોજનભૂત તત્ત્વ કારણ છે આસવતત્ત્વ. એટલે તે જાણવું પણ આવશ્યક છે અને મોક્ષનું કારણ, મોક્ષનો ઉપાય, મોક્ષનો માર્ગ છે સંવર અને નિર્જરા: માટે તેમને યથાર્થ જાણવું તે પણ અગત્યનું છે. ૧૨૭ આ પ્રમાણે આ થયાં સાત તત્ત્વો કે જેમને જાણી યથાર્થ પ્રતીતિ કરવી એ સર્વ પ્રથમ આવશ્યક કર્તવ્ય છે. હવે એ તત્ત્વોના નામો હું ક્રમવાર લખું છું. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. કેટલું સહેલું છે ને ! આ નામો કેવાં ઝડપથી યાદ રહે છે. રીના, તે પુનામાં જોયું ને, કે ૩ વર્ષની સાનિકા, ૫ વર્ષની નતાશા, ૭ વર્ષનો રૌનક, તથા પીયૂષ, સુનય, આકાશ એ નાનાં નાનાં ભૂલકાઓ સાત તત્ત્વોના નામો, છ દ્રવ્યનાં નામો કેવા ઝટ ઝટ બોલી બતાવતાં હતા ! ગયાં પત્રમાં ચારિત્ર ગુણ શિખતી વખતે આપણે કયા કષાયોના અભાવપૂર્વક કયું ચારિત્ર હોય છે તે જોયું હતું. તે બધાનાં નામો પણ મોટા છોકરાઓને મોઢે હતાં. ૪ થા કે ૫ માં ધોરણથી માંડી ડેંટલ કોલેજ અને ઈંજીનીઅર થયેલા આ છોકરાઓ - આશિત, દર્શન, પ્રાચી, નેહા, પૂર્વા, સાયલી, પલ્લવી, મોનિકા, અભિજીત, સુદીપ, દર્શન અને બીજા પણ અનેક જણા ૧-૨ શિબીરોમાં જ આટલાં પરફેક્ટ તૈયાર થયાં કે તેની નવાઈ લાગે. અંગ્રેજી મિડિયમના હોઈ આ છોકરાઓ રોજ છાથી ૮।। કલાક બધાં પ્રવચનો એટેટ કરતાં હતાં, શિબીરની વ્યવસ્થામાં ભાગ લેતાં હતાં. સાંજે ૬ વાગ્યા પહેલાં જમી, ૬।। વાગે રીનાના કલાસમાં આવી બેસતાં હતાં. આજની પેઢીના-વર્તમાનના આ છોકરાઓની આકલન શક્તિ (Grasping Power) ઘણી છે. તેથી શિખવનારનો પણ ઉત્સાહ વધે છે. આજે પ્રયોજનભૂત તત્ત્વો સંબંધે માત્ર ઉપરછલ્લી ઓળખાણ થઈ. આગળના પત્રોમાં આપણે સવિસ્તાર ચર્ચા કરીશું. નીચે જણાવેલ બાબતો પર્ આપણે વિચાર કરીએ. તત્ત્વ એટલે શું ? - પ્રયોજનભૂત તત્ત્વો કયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy