SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય ૧૧૬ ૧૯૯૫ પત્રક ૧૮ ૧૬ એપ્રિલ ૧૯૯૫ જીવનો ચારિત્રગુણ અને પર્યાયો પ્રિય સૌ. રીના અને સૌ. મોના ઘણાં ઘણાં શુભાશિષ, આજસુધી પત્રો દ્વારા આપણે વિશ્વ, દ્રવ્ય, ગુણ, પર્યાય, સામાન્યગુણ, વિશેષગુણ અને બીજી પણ કેટલીક જાણકારી મેળવી. જૈન તત્ત્વજ્ઞાનનો ‘ઓનામા' (મરાઠી શબ્દ છે.) આપણે ક્ય. એનામા કરવો એટલે શરૂઆત કરવી. એ શબ્દ કેવી રીતે તૈયાર થયો ખબર છે? તેનો ફુલફોર્મ છે “ઓના માસિદં' તે અપભ્રંશનું શુદ્ધરૂપ છે “ઓમ નમઃ સિદ્ધ'. પહેલાના સમયે પાટી પર અક્ષર ઓળખ કરાવતાં ત્યારે ‘૩ નમઃ સિદ્ધ એમ લખી અક્ષરો શિખવતાં – શિક્ષણ આપવાનો પ્રારંભ કરતા. ત્યારથી કોઈપણ વાતની શરૂઆત કરવી તે અર્થે “નામા કરવો' એવો શબ્દ રૂઢ થયો છે. ગયાં અનેક પત્રો દ્વારા આપણે બધાં દ્રવ્યોમાં જોવા મળતાં જે સામાન્ય ગુણો છે, તેમાંથી છ ગુણો વિષે ચર્ચા કરી. એ ગુણો દ્રવ્યની સિદ્ધિ કરે છે, પરંતુ તે ચોકકસ કયું દ્રવ્ય છે તે ઓળખવા માટે વિશેષ ગુણોને જાણવું આવશ્યક છે. આપણે દ્રવ્યો અને તેઓના વિશેષ ગુણો જોયાં જ છે, તેમના પર વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. જેમ કે, જીવ દ્રવ્યમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, ક્રિયાવતી શક્તિ ઈત્યાદિ વિશેષ ગુણો છે. પુદગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી શક્તિ ઈત્યાદિ વિશેષ ગુણો છે. ધર્મ દ્રવ્યમાં ગતિeતુત્વ એટલે પોતે ગમન કરનારા જીવ અને પુદગલોને ગતિ કરવામાં સહાધ્યક (નિમિત્ત) થવું એ વિશેષ ગુણ છે. અધર્મ દ્રવ્યમાં સ્થિતિહેતુત્વ એટલે ગમનપૂર્વક સ્થિર થનારા જીવ અને પુગલોને સ્થિર થવામાં નિમિત્ત બનવું એ વિશેષ ગુણ છે. આકાશ દ્રવ્યમાં અવગાહનહેતુત્વ અને કાળદ્રવ્યમાં પરિણમનહેતુત્વ એ વિશેષ ગુણો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy