SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય અનંત પદાર્થોનું અને અનંત કાળ પછીનું પણ જ્ઞાન તેઓને પ્રત્યક્ષ વર્તમાનવત થતું હોય છે. એ જ તો જ્ઞાનના સ્વ-પરપ્રકાશપણાનો મહિમા છે, મહાનતા છે. એના પરથી ક્રમબદ્ધપર્યાય સિદ્ધ થાય છે. તે આપણે પ્રમેયત્વગુણની ચર્ચા સમયે જોયું જ છે. ભવિષ્યમાં થનારી પર્યાય જાણવામાં આવે કારણ તે જ્ઞાનની ક્ષમતા છે -યોગ્યતા છે. પરંતુ કોઈપણ પર્યાય પંચમાત્ર પણ બદલી શકાતી નથી. આગળ પાછળ કરાતી નથી, તેમાં ફેરફાર કરી શકાતો નથી. પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે અને તે સુનિશ્ચિત છે એવો દૃઢ નિર્ણય હોવો તે જ પુરુષાર્થ છે. કારણ આવો નિર્ણય કર્યા બાદ આપણી દૃષ્ટિ બીજાના અને પોતાની પર્યાય પરથી હટી જઈ કાયમ ત્રિકાલ ટકનારા દ્રવ્યસ્વભાવ તરફ કેન્દ્રિત થાય છે. તે કારણે જ્ઞાનની પર્યાયો જાણી ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવો તે આપણું કર્તવ્ય છે. પર્યાય ક્રમબદ્ધ હોય તો અમારો પુરૂષાર્થ શું બકી રહ્યો એવો ખોટો નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. ૧૧૨ એક સમયમાં જ્ઞાનને એક જ પર્યાય હોય છે. પણ એક જીવને કયું કયું જ્ઞાન (પર્યાયો) હોઈ શકે તે વિચારીએ. ઓછામાં ઓછું એક એટલે કેવલજ્ઞાન હોય છે. એક કેવલજ્ઞાન હોય તો બીજા જ્ઞાનની ગરજ છે જ કયાં ? બે જ્ઞાન હોય તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય (મિથ્યા કે સમ્યક્). ત્રણ જ્ઞાન હોય તો ૧) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન (મિથ્યા અથવા સમ્યક્) અથવા ૨) સુમતિજ્ઞાન, સુશ્રુતજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન હોય છે. ચાર જ્ઞાન હોય તો સુમતિજ્ઞાન, સુશ્રુતજ્ઞાન, સુઅવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન તે ચાર જ્ઞાન હોય છે. જીવની શ્રદ્ધાગુણની મુખ્યતઃ બે પર્યાયો છે મિથ્યાદર્શન, સમ્યક્દર્શન. મિથ્યાદર્શન :- અતત્ત્વશ્રદ્ધાનને મિથ્યાદર્શન એમ કહ્યું છે. આ જીવને સ્વતત્ત્વ વિષે શ્રદ્ધા હોતી નથી. જીવાદિ સાત તત્ત્વોની બાબતમાં તેની વિપરીત શ્રદ્ધા હોય છે. દેહમાં આત્મબુદ્ધિ, રાગદ્વેષાદિ ભાવોમાં કર્તૃત્વ-ભોકતૃત્વબુદ્ધિ, પરપદાર્થોમાં મમત્વબુદ્ધિ, સ્વામિત્વબુદ્ધિ, પુણ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy