SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો દ્વારા જૈનતત્ત્વ પરિચય પ્રદેશત્વ ગુણનું વર્ણન કરનારો આ દોહો જુઓ प्रदेशत्व गुणकी शक्तिसे आकार द्रव्योंका रहे, निजक्षेत्रमें व्यापक रहे आकार भी स्वाधीन है । आकार हैं सबके अलग हो लीन अपने ज्ञानमें, जानो इन्हें सामान्य गुण रखिये सदा श्रद्धानमें ॥ જ્ઞાનમાં લીન થવાનું કહ્યું છે એટલે ત્રિકાલી, ધ્રુવ, જ્ઞાનમય એવા આત્મદ્રવ્યનું ધ્યાન કરવા કહ્યું છે. આકાર પર્યાય છે અને તેથી તે એક સમયવર્તી છે, વિનાશિક છે અને નવી નવી ઉત્પન્ન થનારી છે. એવી અસ્થિર વાતનું ધ્યાન થઈ શકતું નથી. તે માટે તેના પરથી લક્ષ હટાવી સદૈવ કાયમ ટકે એવા જ્ઞાનસ્વભાવ પર લક્ષ કેન્દ્રિત કરતાં, એકાગ્રતા સાધતાં સ્વભાવઅર્થપર્યાય ચાલુ થશે એટલે સમ્યક્દર્શન-આત્માનુભૂતિ થશે. સામાન્ય ગુણોની ચર્ચા આજે પૂરી થાય છે. આગળના પત્રથી નવો વિષય શરૂં થશે. તોપણ પહેલાંના પત્રો ફરીથી વાંચતા રહો. તેથી દ્રવ્ય ગુણ પર્યાય અને સામાન્ય ગુણોનું સ્વરૂપ પાકું ધ્યાનમાં રહેશે. એ જ તમારી બા. નરભવ તો કંઈ સદૈવ રહેતો નથી. સાક્ષાત મોક્ષ સાધન જ્ઞાનકલા આ ભવ વ્યતિરિકત અન્ય કયાંય જોવાં મળતી નથી. માટે વારંવાર જણાવીએ છીએ કે-નિજબોધકલાના જોર પર નિજસ્વભાવમાં સ્થિર થાઓ નિરંતર એ જ પ્રયત્ન કરો - નાના બાળકને પણ તેમ વારંવાર કહેવું પડતું નથી, આપણે તો અનંત જ્ઞાનના સ્વામી હોવાં છતાં આવી ભૂલો કરતાં જોઈ મોટું આશ્ચર્ય થાય છે. શ્રી દીપચંદજી - ‘અનુભવપ્રકાશ’ - ૫૮ Jain Education International ૧૦૨ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy