SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ પ્રદેશત્વગુણ પર્યાય થતાં હોય છે. તેમાં કેવળ પ્રદેશત્વ ગુણનું કાર્ય જુદું પાડી તેને ‘વ્યંજનપર્યાય' એવું નામ આપ્યું છે અને ઈતર અનંત ગુણોની પર્યાયોને અર્થપર્યાય' એમ કહ્યું છે. આ મજાનો વિષય છે. કેવો તે આપણે જોઈએ. વ્યંજનપર્યાય અને અર્થપર્યાય, એ બન્નેના બે બે ભાગ પડે છે તે સ્વભાવ અને વિભાવ. પર્યાય વ્યંજનપર્યાય અર્થપર્યાય સ્વભાવવ્યંજનપર્યાય વિભાવવ્યંજનપર્યાય સ્વભાવઅર્થપર્યાય વિભાવઅર્થપર્યાય સ્વભાવવ્યંજનપર્યાય :- પર નિમિત્તના સંબંધ રહિત દ્રવ્યનો જે આકાર હોય તેને સ્વભાવવ્યંજનપર્યાય કહે છે. દા.ત. જીવની સિદ્ધપર્યાય, પુદગલ પરમાણુનો આકાર. વિભાવવ્યંજનપર્યાય :- પર નિમિત્તના સંબંધથી દ્રવ્યનો જે આકાર હોય તેને વિભાવવ્યંજનપર્યાય કહે છે. દા.ત. જીવની નર, નારકાદિ પર્યાય, પુદ્ગલના સ્કંધનો આકાર. સ્વભાવઅર્થપર્યાય :- પર નિમિત્તના સંબંધ રહિત જે અર્થપર્યાય થાય (પ્રદેશત્વગુણ છોડી બીજા અનંત ગુણોની જે અવસ્થા થાય) તેને સ્વભાવઅર્થપર્યાય એમ કહેવાય. દા.ત. જીવની કેવલજ્ઞાનપર્યાય, પુદ્ગલપરમાણુની પર્યાયો. વિભાવઅર્થપર્યાય - પર નિમિત્તના સંબંધથી જે અર્થપર્યાય થાય તેને વિભાવઅર્થપર્યાય એમ કહે છે. દા.ત. જવના રાગ દ્વેષ ઈત્યાદિ, પુદગલોના સ્કંધોની પર્યાયો. છ દ્રવ્યોમાંથી માત્ર જીવ અને પુદ્ગલ એ બે જ દ્રવ્યો સ્વભાવ અને વિભાવ પર્યાયોથી યુકત હોય છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાલના સ્વભાવઅર્થપર્યાય અને સ્વભાવવ્યંજનપર્યાય એવાં બે જ પ્રકારે પરિણમન થાય છે – વિભાવ પરિણમન થતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005286
Book TitleJain Tattva Parichay
Original Sutra AuthorN/A
AuthorUjjwala Shah, Dinesh Shah, Dipak M Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy