SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-૨-૩ આરામાં ગતિ ૧- દેવની, ત્રીજા આરાના અંતે અને ચોથા આરામાં પાંચે ગતિ, પાંચમાં આરામાં ચારગતિ અને છઠ્ઠામાં બે નરક અને તિર્યંચ ગતિ હોય છે. ચોથા આરામાં જન્મેલા હોય તે પાંચમા આરામાં મોક્ષે જઈ શકે છે. અવસર્પિણી કાળની માફક જ ઉત્સર્પિણીકાળના છ આરા છે. તે અવસર્પિણી કાળના આરાથી ઊંધા ક્રમે એટલે કે તેમાં પહેલો આરો - દુષમ દુષમ, બીજો આરો- દુષમ એ પ્રમાણે છ એ આરા સમજવા. અવસર્પિણીકાળમાં દિનપ્રતિદિન હાનિ થતી જાય છે. જ્યારે ઉત્સર્પિણીકાળમાં પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે. ઉત્સર્પિણીકાળનો પ્રથમ આર્નો અષાડ વદ-૧ ના બેસે છે, બીજો આરો પણ અષાડ વદ-૧ ના બેસે ત્યારે ભરતક્ષેત્રમાં સર્વત્ર પાંચ પ્રકારની વૃષ્ટિ થાય છે. (૧) પ્રથમ ‘પુષ્કર’ નામનો વરસાદ સાત અહોરાત્રિ પર્યંત સતત વરસે છે. જેથી ધરતીની ઉષ્ણતા દૂર થાય છે. (૨) ‘ક્ષીર’ (દૂધ) નામનો વરસાદ સાત અહોરાત્રિ પર્યંત સતત વરસે છે જેથી દુર્ગંધ દૂર થાય છે. (વચ્ચે બે સપ્તાહ વૃષ્ટિ બંધ રહે તેમ ગ્રંથમાં ઉલ્લેખ છે.) (૩) ‘ધૃત’ (ઘી) નામનો વરસાદ સાત અહારાત્રિ પર્યંત સતત વરસે છે જેથી પૃથ્વીમાં સ્નિગ્ધતા (ચીકાશ) આવે છે. (૪) પછી ‘અમૃત’ નામનો વરસાદ સાત અહોરાત્રિ વરસવાથી ૨૪ પ્રકારનાં ધાન્ય વગેરે સર્વ વનસ્પતિના અંકુરો જમીનમાંથી ઉગી નીકળે છે, પછી ૭ દિવસ વરસાદ બંધ રહે છે. (૫) પછી ‘રસ' નામનો શેરડીના રસ જેવો વરસાદ સાત અહોરાત્રિ વરસે છે. આથી ઉક્ત વનસ્પતિમાં પાંચે રસની ઉત્પત્તિ થાય છે. ત્યારે બિલવાસી મનુષ્યો બહાર આવે છે અને આશ્ચર્યચકિત થાય છે તથા ફળાદિનો અતિ સ્વાદિષ્ટ આહાર કરી માંસાહારનો પરિત્યાગ કરે છે. (પાંચ સપ્તાહ વર્ષાના અને બે સપ્તાહ વિરામના મળી કુલ-૭ X ૭ = ૪૯ દિવસ અષાડ વદ-૧થી ભાદરવા સુદ-૫ સુધીના થાય છે. વ્યવહારમાં તે જ દિવસે સંવત્સરીનો પ્રારંભ થતો હોય, અષાડ પૂનમ પછી ૪૯-૫૦માં દિવસે ‘સંવત્સરી’ની આરાધના થાય. સંવત્સરી પર્વ અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેશે.) યુગલીયાઓ તેમની ઇચ્છા ૧૦ પ્રકારના ‘કલ્પવૃક્ષ' દ્વારા પૂર્ણ કરે છે શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only ૫૧ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy