SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ નીકળે છે. આ ત્રણે કાલમાં સુખાભિલાષી જીવોએ જરૂર ધર્મારાધન કરવું જોઈએ. તે આભિયોગી શ્રેણીથી ૫ યોજન ઉપર, ૧૦ યોજન પહોળું અને પર્વત જેટલું લાંબુ વૈતાઢય પર્વતનું શિખર છે. અહીયાં ૬ી યોજનની ઊંચી જુદી જુદી નવ ડુંગરીઓ છે. ત્યાં મહાદ્ધિના સ્વામી વૈતાઢય પર્વતના માલિક “વૈતાઢયગિરિ કુમાર” દેવતાનો વાસ છે. ભરતક્ષેત્રની મધ્યમાં વૈતાઢય ગિરિના આવવાથી દક્ષિણાર્ધ ભરત અને ઉતરાર્ધ ભરત એવા બે વિભાગો થઈ ગયા છે. અને ભરતની ઉતરની સીમાનો કર્તા ચુલ્લહિમવંત પર્વત છે. જેના મધ્યની પદ્મદ્રહની પૂર્વ અને પશ્ચિમના દ્વારથી નીકળેલી ગંગા અને સિંધુ નદી વૈતાઢય પર્વતની નીચેથી નીકળીને લવણ સમુદ્રમાં જઈને મળવાથી ભરતક્ષેત્રના ૬ વિભાગ થઈ ગયા છે. જેને “ષખંડ (૬ વિભાગ) કહે છે. જબૂદીપના પૂર્વ દિશાના વિજયદ્વારના નીચેના નાળાથી લવણ સમુદ્રનું પાણી ભરત ક્ષેત્રમાં આવવાથી નવ યોજન વિસ્તારવાળી ખાડી છે. જેના કિનારા ઉપર ત્રણ દેવ સ્થાન છે. (૧) પૂર્વમાં માગધ (૨) મધ્યમાં વરદામ અને (૩) પશ્ચિમમાં પ્રભાસ છે. એ તટ (કિનારા) ઉપર હોવાથી તીર્થ કહેવાય છે. ગંગા નદીથી પશ્ચિમે, સિંધુ નદીની પૂર્વે લવણની ખાડીથી ઉત્તરે અને વૈતાઢય પર્વતની દક્ષિણે એમ ચારેની મધ્યમાં ૧૧૪ ૧૧, યોજનાના અંતરે ૧૨ યોજન લાંબી અને ૯ યોજન પહોળી અયોધ્યા નગરી છે. ૧૨ આરા-કાળચક્રનું વર્ણન | ભરતક્ષેત્રમાં ૨૦ ક્રોડાકોડ સાગરોપમનું કાળચક્ર (૧ર આરાવાળુ) સદા ફરતું રહે છે. જે કાળમાં પ્રત્યેક સમયે શુભ પુદ્ગલો (સુખો)ની ન્યૂનતા અને અશુભ પુદ્ગલો (દુઃખો)ની વૃધ્ધિ થાય તેને “અવસર્પિણી કાળ' કહે છે. અશુભ પુદ્ગલોની ન્યૂનતા અને શુભ મુગલોની વૃધ્ધિ થાય તેને “ઉત્સર્પિણી કાળ' કહે છે. તે બન્ને કાળનાં ૬-૬ આરા હોય છે, અહીં અવસર્પિણીકાળના તથા ઉત્સર્પિણીકાળના ૬-૬ આરાનો કોઠો આપેલ છે. * શ્રી જૈન તત્ત્વ સાર [૪૯] | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy