SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મરચાનો ધૂમાડો સુંઘાડે છે. જીભથી ચાડી નિંદા કરનારના મોઢામાં કટાર મારે છે એમ કેટલાંકને ઘાણીમાં પીલે છે. અગ્નિમાં બાળે છે, હવામાં ઉડાડે છે. એમ પૂર્વકૃત્યો અનુસાર અનેક પ્રકારનાં મહાન દુઃખોથી દુ:ખી કરે છે. તે નારકી જીવો આ દુઃખોથી ગભરાઈને ઘણી જ દીનતાથી બન્ને હાથોની દસે આંગળીઓને મોઢામાં નાખી પરમાધામીના પગમાં પડી પ્રાર્થના કરે છે. “હવે અમે એવાં પાપો નહિ કરીએ, અમને ન મારો, અમને ન મારો”. પણ એ કરુણામય શબ્દોથી પરમાધામીઓને જરાય દયા આવતી નથી. એમની પ્રાર્થના ઉપર જરાય લક્ષ્ય આપ્યા વગર તેમના કથનની મશ્કરી કરતાં તેમને વિશેષ દુ:ખો આપે છે. અહીં બે પ્રશ્ન થાય છે કે (૧) નારકીને ૫૨માધામી દેવ કેમ દુઃખ આપે છે? (૨) અને પરમાધામીઓને તે પાપ લાગે છે કે નહિ? ઉત્તર : જેમ કેટલાક નિર્દય લોકો શિકાર ખેલવામાં હાથી, ઘોડા, પાડા, ઘેટા કૂતરાં વગેરેને લડાવવામાં આનંદ માને છે તેવી જ રીતે પરમાધામી દેવો નારકી જીવોને દુઃખ દેવામાં આનંદ માને છે. અગ્નિ, પાણી, વનસ્પતિ આદિ જીવોની જેથી ઘાત થાય તેવા અજ્ઞાન તપના પ્રભાવથી જીવો મરીને પરમાધામી દેવો થાય છે, અને તે પરમાધામી દેવો નારકી જીવોને સંતાપ પહોંચાડવામાં જ આનંદ માને છે, અને પાપ તો જે કરે તે બધાને લાગે જ છે. આવા પાપના યોગથી જ તે દેવો ત્યાંનું આયુષ્ય પૂરું કરીને બકરાં મરઘા વગેરે નીચ યોનિમાં ઉત્પન્ન થઈ આયુ પૂર્ણ થતાં પહેલાં જ મરી જાય છે. એ પ્રકારની પરમાધામાં કૃત વેદના તો ત્રીજી નરક સુધી જ છે. ચોથીથી સાતમી નરક સુધી અન્યોન્ય કૃત વેદના હોય છે. જેમ નવા કૂતરાંના આવવાથી બધાં કૂતરાઓ તેના ઉપર તૂટી પડે છે, તેને ત્રાસ પહોંચાડે છે. તેમ ચોથી પાંચમી નરકમાં એક નારકીનો જીવ બીજા જીવોને દુઃખ દે છે. તેમને મહાકિલામના ઉપજાવે છે. એટલેકે તેઓ પરસ્પરમાં દુ:ખ દીધા કરે છે. એ વખત જે સમ્યગ્દષ્ટિ જીવો હોય છે તે પૂર્વ કર્મનો ઉદય ભાવ જાણીને સમભાવ પૂર્વક દુ:ખ સહન કરે છે, બીજાને દુ:ખ આપતા નથી અને જે મિથ્યાદષ્ટિ હોય છે તે પરસ્પર લાતો મારે છે. વૈક્રિય શસ્ત્રો બનાવીને પરસ્પર પ્રહાર કરે છે. મારામારી કરે છે. અને છઠ્ઠી સાતમી નરકના જીવો છાણના કીડા જેવા વજ્રમય મુખવાળાં કંથવાના રૂપ બનાવીને પરસ્પર અંક બીજાનાં શરીરમાં ૩૮ Jain Education International સિદ્ધ અધિકાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy