SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન તત્ત્વસાર કાળથી દીવસ દરમ્યાન જ્યારે લાભ મળે ત્યારે વહોરાવવું. ભાવથી આદર પૂર્વક, હૃદયના શુદ્ધ અને ઉત્કૃષ્ટ ભાવપૂર્વક સંયમીની અનુમોદનાના લક્ષ્યથી વહોરાવવું. (૧) પંચ મહાવ્રતધારી ચારિત્રાત્માને નિર્દોષ આહાર - પાણી આદિ વહોરાવીશ તેને ધર્મ સમજીશ. (ર) સંયમમાં સહાયક બનવું તે શ્રાવકનું કર્તવ્ય છે તેથી નિર્દોષ પાણી મારે ત્યાં હોવું જોઈએ માટે સાધુ-સાધ્વીજી ગામમાં બિરાજતા હોય ત્યારે મારા પીવાના ઉપયોગમાં સચેત પાણી વાપરીશ નહીં. (૩) હું નિત્ય ભોજન કરતી વખતે નિર્દોષ આહાર - પાણી વહોરાવવાની ભાવના ભાવીશ નહીં તે વિવેક રાખવો. (૪) અસુઝતી સચેત વસ્તુ જાણી જોઈને કોઈ પણ ચારિત્રાત્માને વહોરાવવાનો ત્યાગ, વિવેક પૂર્વક લાભ લેવો. (૫) સાધુસાધ્વીજી પૂછે તો જૂઠું બોલીને સદોષ વસ્તુ વહોરાવીશ નહીં. (૬) ગૌચરીના સમયે ઘરના દરવાજા અંદરથી બંધ ન રહે તેનું ધ્યાન રાખીશ. (૭) દીક્ષાર્થીને દીક્ષા માટે શુદ્ધ માર્ગમાં અંતરાય આપવાના ભાવથી દીક્ષાની ના કહીશ નહીં. (૮) જ્યાં સુધી હું દીક્ષા લઉં ત્યાં સુધી નો ત્યાગ. અતિચાર સચિત્ત નિખૈવણિયા : અચિત વસ્તુ સચિત પર રાખી હોય .... સચિત્ત પેહણિયા : અચિતવસ્તુ સચેત વસ્તુથી ઢાંકી હોય ... કાલાઈક્કમે : સમય વીતી ગયા બાદ વહોરાવ્યું હોય ... પરોવએસે : દાન દેવાની ઈચ્છાથી બીજાની વસ્તુ પોતાની છે તેમ જણાવ્યું હોય, તથા પોતાની વસ્તુ બીજાની છે એમ જણાવ્યું હોય, પોતે સુઝતા હોય છતાં બીજાને વહોરાવવાની આજ્ઞા કરી હોય. .... મચ્છરિયાએ ઃ દાન આપીને અભિમાન કર્યું હોય અગર પશ્ચતાપ કર્યો હોય. ... - ૯ – ૭ (૫) (૨) (૩) શ્રાવકના બારવ્રત સમાપ્ત Jain Education International વિશેષ નોંધ મહિનામાં એક વખત વ્રતવિધિ અવશ્ય વાંચીશ. વરસમાં એક વખત વ્રતમાં જાણતા અજાણતા કોઈ પણ દોષ લાગ્યો હોય તેની આલોચના અવશ્ય કરીશ. દ્રવ્ય મર્યાદા કે કાલમર્યાદામાં વધઘટ કરવી હોય તો ગુરૂસમક્ષ પુસ્તક વંચાવીને કરવી. 30 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy