SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરોક્ત વીસ વિહરમાન તીર્થકરોના જન્મ જંબૂઢીપના ભરતક્ષેત્રના સતરમાં શ્રી કુંથુનાથજીના નિર્વાણ થયા બાદ એક જ સમયમાં થયા. અને વીસમા શ્રી મુનિસુવ્રતના નિર્વાણ બાદ વીસ તીર્થંકરોએ એક સાથે દીક્ષા અંગીકાર કરી અને વીસ તીર્થકરો એક માસ સુધી છદ્મસ્થ રહીને કેવલજ્ઞાની થયા. અને વસંય ભવિષ્યકાલની ચોવીસીના ૭માં તીર્થકર શ્રી ઉદયનાથજીના મોક્ષે ગયા બાદ એક સાથે મોક્ષે જશે. એ વીસેય વિહરમાન તીર્થકરોનું દેહમાન ૫૦૦ ધનુષ્યનું અને આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે. જેમાં ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા અને એક લાખ પૂર્વ સંયમ પાળી મોક્ષ પધારશે. એ વિસેય વર્તમાન તીર્થંકરનાં ૮૪-૮૪ ગણધરો છે. દસ દસ લાખ કેવળજ્ઞાની છે. એકેક અબજ સાધુઓ છે. અને એક એક અબજ સાધ્વીઓ છે. એમ સર્વના કુલ મળી બે ક્રોડ કેવલજ્ઞાની, બે હજાર ક્રોડ સાધુ અને બે હજાર ક્રોડ સાધ્વીઓની સંખ્યા છે. એ વીસ તીર્થકર જે સમયે મોક્ષ પધારશે તે જ સમયે બીજા વિજયમાં જે જે તીર્થકર 2 ઉત્પન્ન થયા હશે તે દીક્ષા ગ્રહણ કરી તીર્થકરપદ પ્રાપ્ત કરશે એ ક્રમ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. અને આગળ પણ અનંત કાળ સુધી ચાલશે. ' અર્થાત્ જવન્ય (ઓછામાં ઓછાં) ૨૦ તીર્થકરોથી તો ઓછા અને 0 જઘન્ય ૨૦ તીર્થંકરાથી કદી પણ ઓછા હોય જ નહિ. એટલે વર્તમાનના ૨૦ તીર્થંકરોના માં ગયા બાદ એજ વખત બીજા વીસ તીર્થંકર પદને પ્રાપ્ત થવા જોઈએ. આ હિસાબે એક તીર્થકર ગૃહવાસમાં એક લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરે ત્યારે બીજા ક્ષેત્રમાં બીજા તીર્થંકરન જન્મ થઈ જ જવો જોઈએ. અને તે પણ એક લાખ પૂર્વના થાય ત્યારે અન્ય ક્ષેત્રમાં ત્રીજા તીર્થકરનો જન્મ પણ થઈ જ જવો જોઈએ આ પ્રમાણે કોઈ એક લાખ પૂર્વના આયુષ્યવાળાં, કોઇ બે લાખ પૂર્વના આયુષ્યવાળાં એ જ પ્રમાણે કાંઈ ૮૩ લાખ પૂર્વના આયુષ્યવાળા એમ એક અંક તીર્થંકરની પાછળ ૮૩-૮૩ તીર્થકરો ગૃહવાસમાં રહે છે અને એક તીર્થંકરપદ ભાગવતાં હોય છે. જ્યારે ચોરાશીમાં તીર્થંકર મોક્ષ ચાલ્યા જાય ત્યારે ૮૩માં તીર્થકર અન્ય ક્ષેત્રમાં તીર્થંકર પદને પ્રાપ્ત કરે છે. અને કોઈ અન્ય ક્ષેત્રમાં એક તીર્થકરનો જન્મ થાય છે. એમ એક-એક તીર્થંકર પાછળ ૮૩-૮૩ તીર્થકરો ગૃહસ્થાવાસમાં હોવાથી ૨૦ તીર્થકરોની પાછળ ૮૩ X ૨૦ કુલ ૧૬૬૦ તીર્થકર ગૃહસ્થાવાસમાં અને ૨૦ તીર્થંકરપદ ભોગવતાં હોય એમ ૧૬૮૦ તીર્થંકરો ઓછામાં ઓછા એક જ વખત હોવા જોઈએ. આટલાં તીર્થકર હોવા છતાં પણ ક્યારેય તે પરસ્પર મળતાં નથી. એ રીત અનાદિકાળથી ચાલી આવે છે. ભવિષ્યમાં પણ અનંતકાળ સુધી એ જ રાત ચાલતી રહેશે. | ૨૬ અરિહંત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy