SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન તત્ત્વસાર કાળથી આ જીવન પર્યત મેં લીધેલ પ્રતિજ્ઞા મુજબની ચોરીનો ત્યાગ. ભાવથી : બે કરણ ત્રણ યોગથી છ કોટિએ ત્યાગ કરું છું. (૧) કોઈને ત્યાં ખાતર પાડી, તાળા તોડી, દિવાલ - દરવાજા આદિ તોડી કોઈપણ વસ્તુની ચોરી કરવી નહીં. (ર) પેટી – ગાંસડી કોઈપણ ચિજ સાચવવા આપી જાય તો તે ખોલીને કે તોડીને કોઈ વસ્તુ લેવી નહીં - કોઈના ખિસ્સા કાપવા નહીં. (૩) ડુપ્લીકેટ ચાવીથી તાળાં ખોલી ચોરીની ઈચ્છાથી કોઈપણ વસ્તુ લેવી નહીં. (૪) કોઈની પડેલી વસ્તુ નધણિયાતી જાણીને લેવી નહીં - તથા (૫) જાણી જોઈને ચોરીની વસ્તુ ખરીદીશ નહીં, ચોરને મદદ કરીશ નહીં. (૬) નકલી ચિજ અસલી કરીને વંચીશ નહીં, જાણી જોઈને છેતરવાની ભાવનાથી તોલમાપ ઓછા વધુ કરીશ નહીં. (૭) રેલ્વે - બસ આદિમાં ટિકિટ લીધા વિના મુસાફરી કરવાનો ત્યાગ. (૮) દાણચોરો દ્વારા વિદેશમાંથી માલ મંગાવી દાણચોરી કરીશ નહીં. (૯) કોઈ પણ નિમિત્તમાં લાંચ રૂસ્વત લેવી નહીં. (૧૦) ધર્મ સ્થાનકમાંથી કે સંઘની મિલકતમાંથી કોઈ પણ વસ્તુ ચોરીને લઈશ નહીં. (૧૧) ચાંચીયાગીરી કરીશ નહીં - નકલી નોટો બનાવીશ નહીં. (૧૨) કોઈની ગુપ્ત વાતો જાણીને બ્લેક મેઈલ (જાહેર) કરીશ નહીં. (૧૩) ચોર – ગુંડા વિગેરેને પોતાના હાથ નીચે રાખીશ નહીં. મદદ કરીશ નહીં. (૧૪) ભારતીય બનાવટની વસ્તુ વિદેશી વસ્તુના નામે વહેંચીશ નહીં. અતિચાર (૧) તિન્નાહડે : ચોરીની વસ્તુ જાણી બુઝીને લેવી તે .... (ર) તક્કર પગે : ચોર ને ચોરી કરવામાં સહાયતા કરવી .... (૩) વિરૂધ્ધરાઈ કર્મો ઃ રાજ્ય વિરૂધ્ધ કાર્ય કરવું, રાજ્ય વિરૂધ્ધ વ્યાપાર કરવો .... (૪) કૂડતોલે - કૂડમાણે: તોલ - માપ ઓછા વધારે રાખવા ........ (૫) તખડિરૂવગ વવહારે : ભેળ સેળ કરી આપવું અથવા એક વસ્તુ દેખાડી બીજી વસ્તુ આપવી ...... આ ત્રીજા વ્રતના પાંચ અતિચાર છે તેનો સમજીને ત્યાગ કરવાથી વ્રત નિર્મલ બને છે. વિશેષ નોંધ ૧૧ E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy