SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન કાળમાં પંચમહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ તીર્થકરનાં નામાં આ વીસ તીર્થંકર પ્રભુ અત્યારે આ પૃથ્વી ઉપર વિચરી રહેલ છે. જ્યારે કોઈ સાધુ-સાધ્વીજીઓ ન હોય ત્યારે આપણે ૨૦માંના પ્રથમ શ્રી સીમંધર સ્વામીની આજ્ઞા લઈએ છીએ. આ માંહેના ૧ થી ૪ તીર્થકરો અત્યારે જંબૂદીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે. ૫ થી ૮ તીર્થકરો અત્યારે પૂર્વધાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે. ૯ થી ૧૨ તીર્થકરો પશ્ચિમધાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે ૧૩ થી ૧૬ તીર્થંકર અત્યારે પૂર્વ પુષ્કરાઈ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે. ૧૭ થી ૨૦ તીર્થકરો અત્યારે પશ્ચિમ પુષ્કરાઈ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે. એકએક મહાવિદેહ ક્ષેત્રમાં ૪-૪ પ્રમાણે જુદાં જુદાં પાંચ ક્ષેત્રોમાં આ બધા તીર્થકરો બિરાજે છે. આપણા જેવા ભવ્ય જીવોને બોધ આપી રહેલ છે. ભરતક્ષેત્રમાં આયુષ્ય, કાળ વધઘટ થયા કરે છે કારણકે અહીં આપણે ત્યાં અવસર્પિણી કાળ ચાલે છે પણ મહાવિદેહ ક્ષેત્રમાં તેવું નથી. ત્યાં સદા ચોથા આરાની શરૂઆત જેવો જ કાળ ચાલે છે, તીર્થકરોની હાજરી સદાય ત્યાં હોય છે, વિરહ પડતો નથી. પાંચ મહાવિદેહમાં ૧૬૦ વિજયો (ભાગો) છે જ્યારે ઉત્કૃષ્ટ તીર્થકરની સંખ્યા હોય ત્યારે દરેક વિજયોમાં તીર્થકર પ્રભુ હોય છે. પહેલા ખામણામાં જઘન્ય ૨૦ ઉત્કૃષ્ટ ૧૬૦ તીર્થકર આપણે બોલીએ છીએ તે ઉપરના હિસાબે મળી જાય છે. જ્યારે ભરતક્ષેત્રમાં પ, ઇરવત ક્ષેત્રમાં ૫ અને પાંચ મહાવિદેહમાં ૧૬૦ એમ કુલ વધારેમાં વધારે ૧૭૦ તીર્થંકર પ્રભુઓ એક જ સમયે હોઈ શકે (૧) શ્રી સીમંધર સ્વામીજી જંબૂદ્વીપનાં સુદર્શન મેરુ પર્વતથી પૂર્વ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૮ મી પુષ્કલાવતી નામની વિજયની પુંડરિકીણી નગરીનાં શ્રેયાંસ રાજાની, સત્યની રાણીની કુક્ષીએ ઉત્પન્ન થયા. એમને વૃષભનું લક્ષણ છે. અને સ્ત્રીનું નામ રૂકમણિ. (૨) શ્રી યુગમંધર સ્વામીજી જંબૂદીપના સુદર્શન મેરુપર્વતથી પશ્ચિમ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૨૫મી વિપ્રોવિજયની વિજયાનગરીના સુસઢરાજાની, સુતારા રાણીથી થયા. બકરાનું લક્ષણ અને સ્ત્રીનું નામ પ્રિયંગમાં. શ્રી જૈન તત્ત્વ સાર | ૨૩ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy