SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણથી ઉપદેશ આપે છે કે હે જીવ ! તું આ શરીરનું મમત્વ શા માટે કરે છે? કેમકે આ શરીર તારું નથી પણ મારા સ્વામી કાળનો ભક્ષ છે, તો હવે તેનાથી મમતા ન કરે. (૨૦) કિં બહુના ! મુનિરાજથી પણ અધિક અસરકારક ઉપદેશદાતા મને તો આ રોગ માલૂમ પડે છે, કેમકે જે શરીરને મેં પ્રાણપ્યારૂં ગણી અનેક સુખોપચારોથી પોલ્યું તેમજ તેની ખૂબસૂરતી અને કોમળતા આદિ ગુણોમાં લુબ્ધ બની રહ્યો હતો તે પ્રેમ મુનિરાજના અનેક ઉપદેશથી પણ છૂટવો મુશ્કેલ હતો. હવે અનેક ઉપચારોથી રોગ નષ્ટ થતો નથી ત્યારે સ્વભાવથી જ નષ્ટ થઇ જાય છે. (૨૧) ૨ જીવ ! જો આ રોગોદયના દુઃખથી તું ગભરાતો હોય, ખરેખર ! તને આ રોગ ખરાબ માલૂમ પડતો હોય અને તેનાથી પૂરેપૂરો કંટાળો આવ્યો હોય, તો તું હવે બાહ્યોપચારનો પરિત્યાગ કરી દે, કેમકે આ રોગ કર્માધીન છે. બાહ્યોપચારમાં રોગો મટાડવાની સત્તા નથી. કદાચિત્ એકાદ રોગ ઓછો પણ થઈ ગયો તો શું થયું ? કાળે કરી પુનઃ તેનો પ્રાદુર્ભાવ થવાનો જ છે. પરંતુ સર્વ રોગોનો અને તેની અચૂક ચિકિત્સાના જ્ઞાતા શ્રી જિનેન્દ્ર ભગવાનરૂપ પરમવૈદ્યની બતાવેલી પરમૌષધિ સમાધિમૃત્યુરૂપી છે. તેનું સાચા દિલથી સેવન કરે કે જેથી આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સર્વ દુઃખો સમૂલ નાશ પામી અંનત, અક્ષય, અજરામર, અવ્યાબાધ મોક્ષનાં સુખો પ્રાપ્ત થઇ શકે. (૨૨) જેમ જેમ વેદનીયનું જોર અતિ પ્રબળ થતું જાય તેમ પોતે અધિક ખુશી થતો જાય. કેમકે જેવી રીતે અધિકાધિક તાપ લાગવાથી સુવર્ણ અધિક સ્વચ્છ, શુદ્ધ, નિર્મળ થઇ કુંદન બની જાય છે, તેવી જ રીતે તીવ્ર વેદનીયના ઉદય સમયે સમ પરિણામ ધારણ કરવાથી કઠણ કર્મોનો પણ સમૂળ શીઘ્ર નાશ થઇ જાય છે અને આત્મરૂપ સુવર્ણ શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ થઇ સિદ્ધ સ્વરૂપ બની જાય છે. અગર દેવ તો અવશ્ય થઇ શકે છે. (૨૩) જેવી રીતે ગજસુકુમારના મસ્તક પર સોમિલ બ્રાહ્મણે અંગારા ભર્યા તેની મહાવેદના સહી, સ્કંદજીના શરીરની સર્વ ચામડી તેમના બનેવીના અનુચરોએ ઉતારી લીધી. તેની મહાવેદના તેઓએ સમભાવે વેઠી, સ્કંદજીના શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only ૪૦૧ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy