SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચખ્ખાણ કર્યા હતાં તે સમ્મકાએણે, ન ફાસિયં, ન પાલિય, ન સોહિયે, ન તીરિયં, ન કિત્તિયં, ન આરાહિય, આણાએ અણુપાલિતા ન ભવઈ તસ્સ મિચ્છામિ દુક્કડ” આ સાગારી સંથારાની વિધિ કહી. ચોર, સિંહ, સાપ, વ્યંતર, અગ્નિ, પાણી આદિ કોઇપણ પ્રકારે પ્રાણાંત ઉપસર્ગ પ્રાપ્ત થાય તથા બિમારી આદિ પ્રાપ્ત થતાં જો અણગારી સંથારો કરવાનો અવસર ન હોય તો ત્યાં પણ ઉપર પ્રમાણે સાગારી સંથારો કરવો ઉચિત છે. આણગારી સંથારો – સંલેખના પ્રાણાંત ઉપસર્ગ આવે, અન્ન પાણી ન મળે એવો દુર્ભિશ-દુષ્કાળ પડે, વૃદ્ધાવસ્થાથી શરીર અતિ જિર્ણ થઈ જાય, અસાધ્ય રોગ ઉત્પન્ન થાય, ઇત્યાદિ પ્રસંગોમાં પ્રાણ બચાવવાનો કોઇ પણ ઉપાય ન હોય ત્યારે તથા કાળજ્ઞાન ગ્રંથમાં વર્ણવેલાં લક્ષણોથી પોતાનો અંતઃ સમય નિકટ જાણે ત્યારે પોતાના ધર્મના રક્ષણાર્થે જે શરીરાદિનો ત્યાગ કરે છે તેને સંલેખના તપ કર્યું છે. संलेहणा दुविहा, अब्भंतरिया य बहिरा चेव । अब्भंतर कसाएसु बाहिरा होइ हु सरीरे ॥ (૨૧૧-ભ.આ.) અર્થ - (૧) ક્રોધાદિ કષાયોને ક્ષણ કરવા તે આત્યંતર સંલેખણા (૨) શરીરનો પરિત્યાગ કરવો તે બાહ્ય સંલેખણા એમ બે પ્રકારની સંલેખણા હોય છે. હવે સંલેખણા જ કરવાની વિધિનો સૂત્રાર્થ કહે છે – “અપચ્છિમાં મારાંતિય સંલેહણા ઝૂસણા આરોહણા' - હવે સંસારનું કોઈપણ કામ બાકી * દોહા - અતિ ગાજ, અતિ વિજ નહિ, મૂત્ર ન ખંડ ધાર, કર દીસ જો સ્તંભ સમ, હંસાં હાલણહાર. અર્થ કાનમાં આંગળીઓ નાખ્યા બાદ ગણગણાટ થતો અવાજ સાંભળવામાં ન આવે, આંખની ઉપરનો ભાગ દબાવવાથી વીજળી જેવો ચમત્કાર દેખાય નહિ, પેશાબ કરતી વખતે મધ્યમાં રોકી શકે નહિ, મસ્તક ઉપર પંજો રાખી હાથનું કાંડું જોતાં જો હાથ સ્થંભ જેવો જાડો દેખાય ઇત્યાદિ લક્ષણથી માલૂમ પડે કે હવે આ હંસ રવાના થવાનો છે. ૩૯૦ અંતિમ શુદ્ધિ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy