SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અને સકામ મરણને માટે જેમ કોઇ શુર, વીર, ધીર ક્ષત્રિય રાજા પર કોઇ પરચક્રી રાજા ચડાઇ લઇને આવ્યો હોય ત્યારે તેના આગમનના સમાચાર સાંભળતાં જ તે વીર ક્ષત્રિયના રોમરોમમાં વીરરસ વ્યાપ્ત થઈ જાય છે. અને તે તત્કાળ ચતુરંગિણી સેના સાથે સજ્જ થઇ રાજસુખોનો પરિત્યાગ કરી દે છે. ભૂખ, તરસ, ટાઢ, તાપ આદિ કષ્ટોની તથા શસ્ત્ર અસ્ત્રાદિના પ્રકારની લેશ પણ પરવા કરતો નથી. ઊલટો તે દુઃખોને પણ સુખોનું સાધન સમજી પોતાના પરાક્રમથી, કૌશલ્યથી શત્રુ સેનાને ધ્રુજાવતો તેનો પરાજય કરી પોતે વિજયવંત બને છે અને પોતાના રાજ્યને નિર્વિઘ્ન બનાવે છે. આવી જ રીતે સકામ મરણનો ઇચ્છુક મહાત્મા કાળરૂપ શત્રુને રાગાદિ દૂત દ્વારા નિકટ આવ્યો જાણી તત્કાળ સાવધાન થઇ જાય છે, અને શારીરિક સુખોનો ચારિત્ર્ય પરૂપ ચતુરંગિની સેનાથી સજ્જ થઇને સકામ મરણ રૂપ સંગ્રામ દ્વારા કાળરૂપ દુર્દત શત્રુનો પરાજય કરે છે તેથી અનંત, અક્ષય આત્મિક સુખની પ્રાપ્તિ રૂપ મોક્ષરાજ્યને પ્રાપ્ત કરી સદાને માટે નિર્વિન થઇ જાય છે. જેનો જન્મ થયો તેનું મૃત્યુ તો એક દિવસ અવશ્ય થવાનું છે. મૃત્યુથી બચવાનો જગતમાં કોઇ ઉપાય છે જ નહિ, તો પછી મૃત્યુને વણસાડી આત્માની ખરાબી શા માટે કરવી જોઇએ ? શા માટે અનંત મરણોને વધારવા જોઇએ ? એક જ વખતના મૃત્યુથી ફરી કદી પણ મરવું જ ન પડે એવો ઉપાય શા માટે ન કરવો ? આ ઉપાય ચાહે તેટલો વિકટ હોય તો પણ એક વખતના મૃત્યુથી જેટલું દુઃખ થાય છે તેટલું દુઃખ સમાધિ મરણે મરતા થતું નથી. આવો નિશ્ચય કરી શૂરવીર મહાત્મા જ સકામ મરણે મરી શકે છે અને મૃત્યુના દુઃખથી સદાને માટે છૂટી શકે છે. સકામ મરણનાં ગુણનિષ્પન્ન પાંચ નામ છે :(૧) સકામ મરણ - મુમુક્ષુઓની કામના મૃત્યુથી બચવાની છે તે સિદ્ધ થાય અર્થાત્ પુનઃ મરવું ન પડે તે સકામ મરણ. (૨) સમાધિ મરણ - સર્વ પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિથી પોતાના ચિત્તની નિવૃત્તિ કરીને સમાધિભાવ ધારણ કરે છે તે. (૩) અનશન - જાવજીવ ત્રણ કે ચાર આહારનાં પચ્ચખાણ કરી લેવાં તે. ૩૮૮. અંતિમ શુદ્ધિ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy