SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) સંયમવ્રતથી ભ્રષ્ટ થઇને મૃત્યુ પામે તે “આસન મૃત્યુ (૮) સમ્યકત્વ સહિત શ્રાવકનાં વ્રતોનું આચરણ કર્યા બાદ સમાધિ ભાવથી મૃત્યુ પામે તે “બાલ પંડિત મૃત્યુ (૯) માયા, નિદાન, અને મિથ્યાત્વદર્શન શલ્ય એ ત્રણમાં કોઇ પણ એક શલ્ય સહિત મૃત્યુ પામે તે “સશલ્ય મૃત્યુ (૧૦) પ્રમાદને વશ થઇ તથા અત્યંત સંકલ્પ વિકલ્પ પરિણામોથી પ્રાણમુક્ત થઇ જાય તે પલાય મૃત્યુ (૧૧) ઇંદ્રિયોને વશ પડી કષાય, વેદના કે હાંસીને વશ પડીને મૃત્યુ પામે તે વશાત મૃત્યુ (૧૨) સંયમ શીલ વ્રતાદિનો નિર્વાહ ન થવાથી આપઘાત કરે તે વિપ્રણ મૃત્યુ (૧૩) સંગ્રામમાં શૌર્ય ધારણ કરી મરણ પામે તે વૃદ્ધપૃષ્ટ મૃત્યુ (૧૪) યથાવિધિ ત્રણ આહારમાં લાવજીવન પચ્ચકખાણ કરી મૃત્યુ પામે તે ભક્ત પ્રત્યાખ્યાન મૃત્યુ (૧૫) સંથારો કર્યા બાદ અન્યની પાસે સેવા ચાકરી ન કરાવતાં થકા મૃત્યુ પામે તે ‘ઇંગિત મૃત્યુ (૧૬) આહાર અને શરીર બંનેનો માવજીવન ત્યાગ કરી વવશ હલન - ચલન કર્યા વગર મૃત્યુ પામે તે પાદપોપગમન મૃત્યુ (૧૭) કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ દેહોત્સર્ગ થાય તે “કેવળી મૃત્યુ આ ૧૭ પ્રકારનાં મૃત્યુનું કથન અષ્ટપાહુડ ગ્રંથના પાંચમાં ભાવપાહુમાં કહ્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમાં અધ્યયનમાં મૃત્યુના મુખ્ય બે પ્રકાર કહ્યાં છે. बालाणं अकामं तु, मरणं असई भवे । पंडियाणं सकामं तु, उक्कोसेणं सइं भवे ।। અર્થ - બાલ અજ્ઞાની જીવો અકામ મરણે મરે છે. તેમને વારંવાર મરવું પડે છે અને પંડિત પુરુષો જે સકામ મરણે મરે છે તેને ઉત્કૃષ્ટ એક જ વખત મરવું પડે છે અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરી લે છે એટલા માટે આત્મ હિતાર્થીઓએ બંને પ્રકારનું સ્વરૂપ સમજવાની આવશ્યકતા છે. પરલોકને ૩૮૬ અંતિમ શુદ્ધિ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy