SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ એક નજર આ તરફ તોફાન થાય છે જ્યારે, પવન માઝા મૂકી દે છે ત્યારે હોનારત સર્જાય છે જ્યારે, ધરતીકંપ થાય છે ત્યારે બાળક બગડે છે જ્યારે, કુમિત્રોનો સંગ થાય છે ત્યારે માણસો-જનાવરો તણાય છે જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે * જીવન ઝેર જેવું લાગે છે જ્યારે, વ્યસનોથી ફસાઇ જાય છે ત્યારે તેમ આત્મા સંસારમાં ભમે છે જ્યારે, વિભાવમાં જાય છે ત્યારે આત્મા વિભાવમાં ગયો અને મિથ્યાત્વનો સંગ થયો ત્યારે ૧૮ પાપસ્થાનકનો રંગ લાગ્યો અને કર્મની ગેંગ આખી ઉભી થઇ ગઇ. આ કર્મોએ આત્માને દુર્ગતિના દ્વાર બતાવ્યા, દુઃખના ડુંગર નીચે દબાવી નાખ્યો અને શરૂ થઈ પરિભ્રમણની યાત્રા. આ યાત્રામાંથી મુક્ત થવું છે? તો “શ્રી જૈન ત્તત્વસાર’ વાંચવું જ રહ્યું. જેમાં છલોછલ ભરેલું છે પરમાત્માનું તત્વજ્ઞાન. જેમાં તમને મળશે જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના, પંચ પરમેષ્ટિની ઓળખાણ, ૨૪ તીર્થકરોની વિશેષ માહિતી ૩ર આગમોની સાર-એ સિવાય અન્ય માહિતી તો ખરી જ. દુઃખથી છુટવાની, પાપથી બચવાની, મોક્ષમાં જવાની અનેકવિધ ચાવીઓ બતાવવામાં આવી છે. લગાડો ચાવી અને ખોલી દો તાળા.... સુખ તમારી સામે જ છે. આ પુસ્તકના આદ્ય લેખક શાસ્ત્રજ્ઞ પૂજ્ય આચાર્ય શ્રી. અમોલખઋષિજી મ. સાહેબને કેમ ભૂલાય? જેમણે જિન શાસન ઉપર મહાન ઉપકાર કરી “શ્રી જૈન તતસાર પ્રકાશ”ના નામે વર્ષો પહેલા પુસ્તક બહાર પાડેલ. જે ૮૫૯ પાનાનું છે. આવા મહાન ઉપકારીને વંદન કરીએ-વર્તમાન સમયને નજરમાં રાખીને ૪૦૦ જેટલાં પાનાનું પુસ્તક બનાવી સમાજ સામે મુકીએ છીએ જેનો સમાજ સુંદર લાભ લેશે જ એવી શ્રદ્ધા છે... આ પુસ્તકના મૂળમાં શ્રી કેશુભાઇ વીરાણી છે. જેઓ જૈફ વયે પણ યુવાનોને શરમાવે તેવુ સ્ફર્તિમય જીવન જીવી રહ્યા છે. શાસનની અદ્ભુત સેવા બજાવી રહ્યા છે. ગોંડલ સંપ્રદાયના યુવા પ્રણેતા પૂ. શ્રી. ધીરજમુનિ મ. સાહેબ કે જેમને સમયનો અભાવ હોવા છતાં પણ પુસ્તકનું સુંદર મુફ રિડીંગ કરી આપેલ છે. તેમજ રાજેશ પ્રિન્ટરીના શ્રી શરદભાઈ ગાંધી તથા શ્રી ભાવીન ગાંધી જેમની શ્રદ્ધા-ભક્તિને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા. ખુબજ ચીવટ પૂર્વક કામ કરી આપેલ છે તે બદલ લાખ લાખ અભિનંદન મુનિ નિરંજન તા. ૦૧-૦૫-૨OOO ઝાલાવાડ નગર ઉપાશ્રય, મંગળવાર અંધેરી (વેસટ), મુંબઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy