SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર કહ્યાં છે. સાધુ મુનિરાજ આહારાદિ ગ્રહણ કરી પાછા ફરે ત્યારે તેમને સાત આઠ ડગલાં વળાવી નમસ્કાર કરી કહે કે, અહો પૂજ્યવર ! આજે તો આપે મહાન લાભ આપ્યો. આવી દયા વારંવાર કરજો. જો સાધુ સાધ્વીને પ્રતિલાલવાનો અવસર મળતો ન હોય તો એમ વિચારે કે ધન્ય છે તે ગામ-નગરને કે જ્યાં સાધુ સાધ્વીજી બિરાજે છે અને ઘન્ય છે તે પુણ્યશાળી જીવોને કે, જેઓ ૧૪ પ્રકારનાં દાન પ્રતિલોભે છે. બારમાં વ્રતમાં ૫ અતિચાર (૧-૨) “સચિત્ત નિબૅવણિયા’ અને ‘સચિત્ત પેહણિયા' અર્થાત્ સાધુજી સચિત્ત વસ્તુના સંઘટ્ટાવાળી કોઇપણ વસ્તુ ગ્રહણ કરતાં નથી. આવું જાણવા છતાં પણ સાધુને દેવા યોગ્ય વસ્તુ ન દેવાના ઇરાદાથી, સચિત્ત વસ્તુ ઉપર રાખે અથવા નીચે રાખે તો અતિચાર લાગે. વિચારે કે સાધુ યાચના કરશે ત્યારે વસ્તુ હોવા છતાં ના તો નહિ કહી શકું પરંતુ સચિત્તનો સંઘટ્ટો હશે તો તેઓ ગ્રહણ નહિ કરે આવા વિચારથી અંતરાય કર્મ બંધાય છે. આ બે અતિચારથી બચવા માટે દાતાનું કર્તવ્ય છે કે, સાધુને માટે તો સચિત વસ્તુને અચિત્ વસ્તુથી અલગ ન કરે, પરંતુ ગૃહકાર્યને માટે સહેજે જ અલગ કરી હોય તો ફરીથી તેને સચિત્તના સંઘટ્ટામાં રાખે નહિ. (૩) “કાલાઇક્કમે' - ભિક્ષાનો કાળ વીતી ગયા પછી સાધુજીને દાન આપવાનું નિમંત્રણ કરે અથવા વસ્તુનો કાળ વીતી ગયા પછી બગડી ગયેલી વસ્તુ વહોરાવવાનું મન કરવું તે. (૪) પરોવએસે – પોતે સૂઝતો હોવા છતાં આળસ કે અભિમાનને લીધે ઊઠે નહિ અને હુકમ ચલાવે કે, સાધુજી આવ્યા છે; એમને કંઇક આપી દો; અથવા ન દેવાની ઇચ્છાથી પોતાની વસ્તુ હોવા છતાં તે પરની છે એમ કહે તો શ્રી જૈન તત્ત્વ સાર ૩૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy