SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ પ્રકારે પાળે નહિ. ઉપરોક્ત ૧૮ દોષોમાંથી કોઇ પણ દોષ લગાડે. આજ મારે અમુક કાર્ય કરવાનું હતું. મેં નાહક પૌષધ કર્યો, ઇત્યાદિ પશ્ચાતાપ કરે, પારણામાં ખાવાપીવાની વસ્તુ વિષે વિચાર કરે. પૌષધ કર્યા પછી અમુક સમારંભના કાર્યો કરીશ, એવો નિશ્ચય કરે. અસંબદ્ધ વચન બોલે, આરંભની વૃદ્ધિનાં વચન બોલે, અયતનાથી ગમનાગમન કરે, સાધુ, સાધ્વી, તથા શ્રાવક શ્રાવિકાનું અપમાન કરે, પોષાનો સમય પૂર્ણ થયા પહેલાં પૌષધ પારવાની ગરબડ કરે. પોષો પારવાની પ્રતિલેખના કરવાની ચતુર્વિશતિ સ્તવન કરવાની પૂરી વિધિ કરે નહિ તો અતિચાર લાગે. ઉપર પ્રમાણે પાંચ અતિચાર તથા ૧૮ દોષરહિત નિર્દોષ પૌષધવ્રતનું સમાચરણ કરવાથી ર૭,૭૭,૭૭,૭૭,૭૭૭ (સત્તાવીસ અબજ ૭૭ કરોડ, ૭૭ લાખ, ૭૭ હજાર, ૭૭૭ પલ્યોપમ અને એક પલ્યનો નવમો ભાગ અધિક) જેટલું દેવગતિનું આયુષ્ય બંધાય છે. આ વ્યવહારિક ફળ જાણવું અને નિશ્ચયમાં તો એક જ પૌષધવ્રતનું સમ્યક પ્રકારે આરાધન કરનાર અનંત ભવભ્રમણથી મુક્ત થઇ થોડા જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ચક્રવર્તી મહારાજા સ્વાર્થ સાધનાર્થે દ્રવ્ય તપ-દ્રવ્ય પૌષધ કરે છે. તો પણ અઠ્ઠમ પોષાથી છ ખંડના રાજ્યના ભોક્તા બની જાય છે. હજારો દેવ તેમની આજ્ઞામાં પ્રવર્તે છે. તે નિધાન, ૧૪ રત્ન આદિ મહારિદ્ધિ પ્રાપ્ત કરે છે. આવી જ રીતે વાસુદેવાદિ અનેક પુરુષોએ એક જ અઠ્ઠમના પોષધવ્રતમાં મોટા મોટા દેવતાઓને પોતાના વશવર્તી બનાવી દીધા છે. તેમની પાસે અનેક કાર્યો કરાવ્યાં છે, તો જેઓ નિશ્ચય પૌષધવ્રત કરશે, જિનાજ્ઞાનુસાર તે આરાધક બનશે. તેનું ફળ તો અકથ્ય છે. પૌષધવ્રતને આમ આત્મગુણનાં અનંત સુખોનો દાતા સમજીને સુજ્ઞ શ્રાવક મહિનામાં છ પોષા (બે આઠમના અને ચૌદશ પાખીના બે છઠ્ઠ પોષા) અવશ્ય કરે. કદાચિત્ છ ન બની શકે તો બે આઠમ અને બે પાખી એમ મહિનામાં ૪ પષા તો જરૂર કરે. અને ૪ પણ ન બને તો બે પાખીના બે પોષા |૩૭૬ શ્રાવક ધર્મ અધિકાર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy