SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ સૂત્ર બોલે. સૂર્યોદય થયા પહેલા પ્રતિક્રમણ કરે, પછી વસ્ત્રોની પ્રતિલેખના કરે. કદાચ તેમાંથી કોઇ જંતુ આદિ નીકળે તો તેને યતનાથી એકાંતમાં પાઠવીને તેનું પ્રાયશ્ચિત લઇ શુદ્ધ થાય. પૌષધવ્રતના ૧૮ દોષ પોષધ નિમિત્તે પૌષધને આગલે દિવસે : (૧) હજામત કે સ્નાનાદિ દેહભૂષા કરે. (૨) મૈથુન સેવે, (૩) સરસ આહાર ભોગવે, (૪) વસ્ત્ર ધોવે, (૫) દાગીના પહેરે, વસ્ત્ર તથા હસ્તાદિ રંગે એટલા કાર્યો પૌષધનિમિત્તે આગલે દિવસે કરે તો દોષ લાગે. તથા પૌષધ કર્યા બાદ, (૭) અવિરતિને સત્કાર કે આસન આપે, વૈયાવચ્ચ કરે. (૮) શરીરની વિભૂષા કરે. જેમકે શરીરના વાળ, દાઢી, મૂછ સમારે, ધોતીની પાટલી જમાવે. (૯) પોતાના કે પરના શરીરનો મેલ ઉતારે, (૧૦) દિવસે શયન કરે અને રાત્રે બે પહોરથી અધિક નિદ્રા લે. (૧૧) ગુચ્છા વગેરેથી શરીરને પૂંજ્યા વિના ખરજ ખણે. (૧૨) દેશ, દેશાંતરની, રાજા રજવાડાની લડાઈ, ઝઘડાની, સ્ત્રીના શૃંગાર, હાવભાવ, ભોગવિલાસની, ભોજન બનાવવાની, સ્વાદની ઇત્યાદિ વિકથા કરે, (૧૩) ચાડી ચુગલી, નિંદા કે ઠઠ્ઠી મશ્કરી કરે. (૧૪) વ્યાપારની લેણદેણની, હિસાબની કથા કરે, ગપ્પાં મારે, (૧૫) પોતાના શરીરનું કે સ્ત્રી આદિના શરીરનું સરાગદૃષ્ટિથી નિરીક્ષણ કરે. (૧૬) ગોત્ર, જાતિ, જ્ઞાતિ વગેરે સાંસરિક સંબંધોની વાતો કરે. (૧૭) ખુલ્લા મુખે બોલે તથા જેમની પાસે સચેત વસ્તુ હોય તેની સાથે વાર્તાલાપ કરે અને, (૧૮) પૌષધમાં રુદન કરે તો દોષ લાગે. 1. પૌષધ વ્રતનું સમાચરણ કરનારે ૧૮ દોષનો પરિત્યાગ કરવો જોઇએ. ૩૭૪ શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy