SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ આ બંને પ્રકારના ધ્યાન ધ્યાવવાં તે અપધ્યાન આચરિત અનર્થાદંડ છે આ પ્રકારના વિચાર શ્રાવકે કરવા ઉચિત નથી. કદાચિત્ તેવા વિચારો મનમાં આવે તો ચિતરવું કે, રે ચેતન! તું દેવતાઓના સુખ અને નરકના દુઃખ અનંતીવાર ભોગવી આવ્યો છે. તેના અનંતમે ભાગે પણ આ સુખ દુઃખ નથી, વળી પાપારંભના કામોમાં આનંદ માનવાથી ચીકણાં કર્મ બંધાય છે. તે ભોગવતી વખતે ઘણું દુઃખ થાય છે માટે વિના કારણે કર્મ બંધ ન કર. ઇત્યાદિ વિચારથી સમભાવ ધારણ કરવો. એક મુહૂર્તથી અધિક ખોટો વિચાર રહેવા ન દેવો. (૨) પ્રમાદાચરિત : પ્રમાદનું આચરણ કરે પ્રમાદ પાંચ પ્રકારના છે. मद विसय कसाया, निदा विगहा पंचमा भणिया। D B પંઘ પમાયા, ગોવા પહેંતિ સંસારે અર્થ : (૧) મદ-જાતિ આદિ આઠ આઠ પ્રકારના મદ, (૨) વિષયપાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયોની લોલુપતા, (૩) કષાય : ક્રોધાદિ ચાર કષાય નો ઉદ્ભવ (૪) નિદ્રા નિદ્રા અને (૫) વિકતા : સ્ત્રી આદિ ૪ પ્રકારની વિકથા, એ પાંચમાંથી એક એક પ્રમાદનું આચરણ કરનાર મહાપુરુષ પણ અનંત સંસાર પરિભ્રમણ કરે છે તો જે પાંચેનું આચરણ કરશે તેની કેવી દુર્ગતિ થશે? માટે શ્રાવકોએ પાંચ પ્રમાદોને ઓછા કરવા સદૈવ ઉદ્યમવંત રહેવું જોઈએ. બીજી રીતે પણ ૮ પ્રમાદ કહ્યાં છે. (૧) અજ્ઞાનતામાં રમણ કરવું, (૨) વાતવાતમાં શંકા કરવી, (૩) પાપોત્પાદક કહાનીઓ, નોવેલ, કોકશાસ્ત્ર (કામ શાસ્ત્ર) આદિ પુસ્તકોનું પઠન, (૪) ધન, કુટુંબાદિ પર અત્યંત લુબ્ધ બનવું. (૫) દુશ્મન પર તથા મલિન વસ્તુ પર દ્વેષ ભાવ ધારણ કરવો, (૬) ધર્માત્માનો આદર સત્કાર ન કરવો, (૭) ધર્મકરણી આદરપૂર્વક ન કરવી, (૮) ખોટા વિચાર ઉચ્ચાર અને ચારથી ૩ યોગોને મલિન કરવા. આ ૮ પ્રમાદ જ સંસાર સમુદ્ર તરવાના અભિલાષીએ સદૈવ ત્યાગવા જોઈએ. તેનાથી કોઈ પણ પ્રકારનો લાભ નથી. અને કર્મબંધ તો સહેજે જ થઈ જાય છે. ૩૬ શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy