SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) દવ્ય વિહિ : જેટલા સ્વાદ પલટે તેટલા દ્રવ્ય. જેમકે ધઉં એ વસ્તુ છે પણ તેની રોટલી, પુરી, થુલી આદિ ઘણી ચીજો બને તે જુદા જુદા દ્રવ્ય થયા. વળી તળેલી અને તવામાં કરેલી પુરી એમ બે દ્રવ્ય થઈ ગયા એમ દરેકમાં દ્રવ્યના ભેદ જાણવાં. ઉપર કહેલી ૨૬ વસ્તુમાં કેટલીક તો ઉપભોગની છે અને કેટલીક તો પરિભોગની છે તેમાં સર્વ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. શ્રાવકોનું કર્તવ્ય છે કે જે અધિક પાપકારી વસ્તુ હોય તેનો ત્યાગ કરે અને જે વસ્તુ ભોગવ્યા વિના ચાલી શકતું નથી તેની ગણતરી તથા વજનનું પરિમાણ કરે અને બાકીના પચ્ચકખાણ કરે. પરિમાણ કરેલી વસ્તુમાંથી પણ અવસરોચિત્ત ઓછી કરતો રહે. પરંતુ લુબ્ધતા કદાપિ ધારણ કરે નહિ. સાતમાં વ્રતનાં કુલ ૨૦ અતિચાર ભોજન સંબંધીના ૫ અતિચાર (૧) સચિત્તાહારે શ્રાવકને સચેત વસ્તુ કાચું પાણી લીલોતરી આદિના પચ્ચખાણ હોય અને ભોજનમાં તેવી કોઈ વસ્તુ આવી ગઈ હોય ત્યારે તે સચેત છે કે અચેત તેનો પૂરો નિર્ણય થયા વિના તે વસ્તુ ભોગવવી ન જોઈએ. છતાં ભોગવે તો અતિચાર લાગે. કદાચિત્ સર્વથા સચેતના પ્રત્યાખ્યાન ન થઈ શકે તો તેનું ઇચ્છિત પરિમાણ કરે અને તેનાથી અધિક ભોગવવાના પચ્ચકખાણ કરે. પરિમાણ કેટલું કર્યું તેનું વિસ્મરણ થઈ જાય તો જ્યાં સુધી પૂરું સ્મરણ ન થાય ત્યાં સુધી સચેત વસ્તુ ખાવી નહિં, ખાય લે તો અતિચાર લાગે. (૨) સચિત્ત પડિબદ્ધાહારે : કેરી, તરબૂચ વગેરે ઉપરથી તો નિર્જિવ છે. પણ અંદરની ગોટલી બીજ સચેત છે તથા વૃક્ષથી તરતનો લીધેલો ગુંદ, તરતની વાટેલી ચટણી, તરતનું ધોવણ પાણી વગેરે સચિત્ત પ્રતિબદ્ધ આહાર કહેવાય છે. આમાદિ ફળની ગોટલી અલગ કર્યા પહેલા તથા ચટણી આદિ પર પૂર શસ્ત્ર પરિણમ્યાં પહેલા સચેત્તના પચ્ચક્ખાણવાળા તેને ભોગવે તો અતિચાર લાગે. ૩૫૪ શ્રાવક ધર્મ અધિકાર | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy