SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) અલ્પ પરિગ્રહ : શ્રાવકની પાસે જેટલો પરિગ્રહ (સંપત્તિ) હોય છે તેટલાથી સંતોષ માની અથવા ૯ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરી તેથી વધારે મેળવવાની ઇચ્છાનો નિરોધ કરે છે. પુણ્યોદયે પ્રાપ્ત થયેલ પરિગ્રહનો સન્માર્ગે વ્યય પણ કરતો રહે છે અને અન્યાયોપાર્જિત દ્રવ્યોનો અણવંચ્છક હોવાથી અલ્પપરિગ્રહી કહેવાય છે. (૪) સુશીલ : શ્રાવક પરસ્ત્રીનો ત્યાગી તો હોય છે પણ સ્વદારાથી પણ મર્યાદિત હોવાથી શીલવંત કહેવાય છે. (૫) સુવતી : શ્રાવક ગ્રહણ કરેલાં વ્રત, પ્રત્યાખ્યાનને નિરતિચારપણે અને ચડતે પરિણામે પાલન કરતો હોવાથી “સુવ્રતી' ભલાં વ્રતવાળો કહેવાય છે. (૬) ધર્મિષ્ઠ : ધર્મકરણીમાં નિરંતર દત્તચિત્ત રહેવાથી શ્રાવક ધર્મિષ્ઠ કહેવાય છે. (૭) ધર્મવૃત્તિ: શ્રાવક મન આદિ ત્રણે યોગથી સદેવ ધર્મમાર્ગમાં રમણ કરનાર હોવાથી ધર્મમાં જ વર્તનાર હોય છે. (૮) કલ્પ ઉગ્રવિહારી : ધર્મના જે જે કલ્પ અર્થાત્ આચાર છે તેમાં શ્રાવક ઉગ્ર એટલે અપ્રતિહત વિહારનો કરનાર અને ઉપસર્ગાદિ પ્રાપ્ત થયે કદાપિ ધર્મ વિરૂદ્ધ આચરણ ન કરનાર હોવાથી તે પોતાના કલ્પમાં ઉગ્રવિહારી હોય છે. (૯) મહા સંવેગ વિહારી : શ્રાવક નિવૃત્તિ માર્ગમાં (વૈરાગ્યમાં) જ સદેવ તલ્લીન હોવાથી મહા સંવેગ વિહારી હોય છે. (૧૦) ઉદાસી : શ્રાવક સંસારાર્થે જે હિંસાદી અકત્ય કરવાં પડે તે કરવા છતાં તેમાં ઉદાસીન (રૂક્ષ) વૃત્તિ રાખે છે. (૧૧) વૈરાગ્યવંત : શ્રાવક આરંભ અને પરિગ્રહથી નિવૃત્તિનો ઇચ્છુક હોવાથી વૈરાગ્યવંત હોય છે. (૧૨) એકાંત આર્ય શ્રાવક બાહ્યાભંતર એકસરખી શુદ્ધ અને સરળ વૃત્તિવાળો હોય છે. આદર્શરૂપ નિષ્કપટી હોવાથી તે એકાંત આર્ય કહેવાય છે. (૧૩) સમ્યકમાર્ગી: સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ માર્ગમાં ચાલતો હોવાથી શ્રાવક સમ્યગુમાર્ગી કહેવાય છે. ૨૪૦ શ્રાવક ધર્મ અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy