SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ કરેલા ઉપકાર ને ઓળવવો તે કૃતઘ્ન, કૃતઘ્ની મનુષ્ય આ પૃથ્વી ૦ માટે ભારરૂપ કહ્યો છે. (૨૦) પરહિત કર્તા હોય ઃ યથાશક્તિ અને યથોચિત સદૈવ પર ઉપકાર કરતો રહે. કદાપિ પરોપકારનાં કામ કરવાં જતાં પોતાને દુઃખ કિંવા કોઈ પ્રકારની હાનિ થતી હોય તો પણ પરોપકાર કરવાથી વંચિત રહે નહિ. ‘પોપારાય માં વિદ્યુતય:।' સત્પુરુષની વિભૂતિઓ પરોપકારને અર્થે જ હોય છે, વળી પણ કહ્યું છે કે ‘પોપારાય પુળ્યાય ।' અર્થાત્ પરોપકાર કરવો એજ પુણ્ય છે. (૨૧) લબ્ધલક્ષી હોય : જેમ લોભીને ધનની તૃષ્ણા હોય અને કામીને સ્ત્રીની n શ્રી ઠાણાંગ સૂત્રમાં ત્રણ વ્યક્તિનાં ગુણનો બદલો વાળવો મુશ્કેલ કહેલ છે. (૧) ગર્ભધારણ કર્યો ત્યારથી યોગ્ય વય થતાં સુધી અનેક કષ્ટો સ્વયં સહન કરી અનેક ઉપાયો દ્વારા ૨ક્ષણ કરનારા માતા અને પિતાને કોઈ પુત્ર સ્વયં સ્નાનાદિ કરાવે, વસ્ત્રઆભૂષણોથી અલંકૃત કરે, ઇચ્છિત ભોજન આપે અને આજ્ઞાનુસાર વર્તન કરી તેમને સંતુષ્ટ રાખે-કિં બહુના. સ્કંધ પર બેસાડી ફેરવે છતાં પણ ગુણનો બદલો વળે નહિ. પરંતુ જિનેન્દ્ર પ્રણિત ધર્મ તેમને અંગીકાર કરાવી, સમાધિ મરણ કરાવે તો ઋણ મુક્ત થઈ શકે. (૨) કોઈ શેઠે કોઈ દરિદ્રને દ્રવ્યાદિની મદદ આપી ધંધે ચડાવ્યો અને શ્રીમંત બનાવી દીધો. પછી કર્મયોગે તે શેઠ દરિદ્ર બની ગયા, તે વખતે ગુમાસ્તો શેઠને પોતાની બધી લક્ષ્મી અર્પણ કરી દે અને ઉપરોક્ત કથનાનુસાર આખી જિંદગી તેનો દાસ થઈ સેવા કરે તો પણ ઋણ મુક્ત ન થાય, પરંતુ જિનેન્દ્ર ભાષિત ધર્મમાં સ્થાપી સમાધિ મરણ કરાવે તો ઋણમુક્ત થાય. (૩) કોઈ ધર્માચાર્યના ધર્મોપદેશથી ધર્મ પામી ધર્મારાધનના પરિણામે દેવગતિ પામ્યો, તે દેવ તે આચાર્યની યથોચિત ભક્તિ કરે. પરિષહ, ઉપસર્ગ, દુર્ભિક્ષ, દુષ્કાળાદિથી તેનું સંરક્ષણ કરે ઇત્યાદિ વૈયાવૃત્ય કરવા છતાં ઋણમુક્ત ન થાય. પરંતુ કદાચિત્ કર્મયોગે આચાર્ય મહારાજના પરિણામ ધર્મથી સંયમથી ચલિત થઈ જાય તો તમને યથોચિત ઉપાયો દ્વારા ધર્મમાં સંયમમાં સ્થિર કરી દે તો ઉત્ક્ષણ (દેવામાંથી મુક્ત) થાય. ૦ न मे के पर्वता भारा, न मे भार: सर्वसागराः । कृतघ्नास्तु महाभारा, भारा विश्वास घातकाः ॥ અર્થ : પૃથ્વી કહે છે કે, મને પર્વતનો કે સમુદ્રનો ભાર લાગતો નથી પણ કૃતઘ્ની અને વિશ્વાસઘાતીનો મને ઘણો ભાર લાગે છે. શ્રાવક ધર્મ અધિકાર ૩૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy