SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતના ધારક અને પાલક તે શ્રાવક કહેવાય છે. (૨) ઉક્ત સાગારીધર્મની પાલકનું અપર નામ શ્રાવક પણ છે. શ્રાવક એ “શ્ર' ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે, શું એટલે સાંભળવું. જે શાસ્ત્રનું શ્રવણ કરે તે શ્રાવક કહેવાય. વળી વ્યવહારમાં શ્રાવકનો અર્થ આ પ્રમાણે પણ કરવામાં આવે છે. શ્ર= શ્રધ્ધાવંત + વ = વિવેકવંત + ક = ક્રિયાવંત. અર્થાત્ શ્રદ્ધાયુક્ત વિવેકપૂર્વક ક્રિયા કરે તે શ્રાવક ત્રીજું નામ શ્રમણોપાસક પણ છે. શ્રમણ = સાધુ + ઉપાસક = ભક્ત અર્થાત્ સાધુજીની સેવા ભક્તિના કરનાર શ્રમણોપાસક. તે પદની પ્રાપ્તિ બે પ્રકારે થાય છે. નિશ્ચયમાં દર્શનમોહનીય કર્મની ૩, અનંતાનુબંધીનો ચોક - ૪ અને અપ્રત્યાખ્યાનીનો ચોક - ૪ એમ મોહનીય કર્મની ૧૧ પ્રકૃતિઓનો ક્ષયોપશમ થવાથી અને વ્યવહારમાં ૨૧ ગુણ, ૨૧ લક્ષણ, ૧૨ વ્રત અને ૧૧ પ્રતિમા ઇત્યાદિ ગુણોનો સ્વીકાર કરવાથી શ્રમણોપાસક અથવા શ્રાવક કહેવાય છે. શ્રાવકના ૨૧ ગુણ अखुदो रुववं पग्गइसोमो लोकपियाओ। अकुरो भीरु असढो दक्खिणो लज्जालु दयालु ॥१॥ मज्झत्यो सुदिछी गुणानुरागी सुपक्खजुतो सुदीही। विसेसन्नु वृद्धानुग विनीत कयन्नु परहियकता लद्धलक्खी ॥२॥ (૧) અક્ષુદ્ર પરિણામી હોય : દુઃખપ્રદ સ્વભાવવાળાને શુદ્ર કહે છે. શ્રાવક પોતાના અપરાધીને પણ દુઃખપ્રદ થતો નથી તો અન્યનું તો કહેવું જ શું? અર્થાત્ કોઈને પણ દુ:ખદાતા ન હોવાથી શ્રાવક અશુદ્ર હોય છે. (૨) રૂપવંત હોય : “યથાતિ તથા પ્રતિઃ ' અર્થાત્ જેવી શરીરની આકૃતિ તેવી પ્રાયઃ પ્રકૃતિ પણ હોય છે. તદનુસાર શ્રાવક પૂર્વોપાર્જિત પુણ્યના પ્રયોગથી હસ્ત પાદાદિ પૂર્ણ અંગવાળો હોય છે. કર્ણ, ચક્ષુ આદિથી પૂર્ણ ઇન્દ્રિયોવાળો હોય છે અને સુંદરાકૃતિ, તેજસ્વી તથા સશક્ત શરીરવાળો હોય શ્રી જૈન તત્ત્વ સાર ૩૨૩ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy