SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ જ્વરનો નાશ થવાથી દસ પ્રકારથી ધર્મનું આરાધન રૂચિપૂર્વક, ઉત્સાહ પૂર્વક આચરણ કરેલો ધર્મ યથાર્થ ફળદાતા બની આત્માને અક્ષય સુખી બનાવે છે. સમકિતીને હિતશિક્ષા આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ચોથા અધ્યયનમાં શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામીએ નીચે પ્રમાણે સમકિતીઓને હિતશિક્ષા આપી છે. (૧) ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના સર્વ તીર્થંકરોનું ફરમાન છે કે, બે ઇન્દ્રિયાદિ પ્રાણી, વનસ્પત્યાદિ ભૂત, પંચેન્દ્રિયાદિ જીવ તથા પૃથ્વી આદિ સત્ત્વની જ્યાં કિંચિત માત્ર પણ હિંસા કદાપિ થતી નથી, કિંચિત માત્ર દુઃખ ઉત્પન્ન થતું નથી ત્યાં જ સત્ય શુદ્ધ સનાતનધર્મ છે. રાગીઓનો, ત્યાગીઓનો, ભોગીઓનો એને યોગીઓનો એમ સર્વનો તે ધર્મ એક સરખો આદરણીય છે. (૨) ઉક્ત ધર્મનો સ્વીકાર કરી તેના પાલનમાં કદી પણ પ્રમાદી ન બનવું જોઈએ, પરંતુ નિરંતર સુદૃઢ અચલ બનીને તેનું પાલન કરવું જોઈએ. (૩) મિથ્યાત્વીઓના મિથ્યા આડંબર, પાખંડાચારને જોઈને વ્યામોહ પામવો નહિ. (૪) સંસારમાં રહેલા સમકિતીઓએ મિથ્યાત્વીઓનું અનુકરણ (દેખાદેખી) ન કરવું જોઈએ. (૫) જે મિથ્યાત્વીઓનું અનુકરણ કરતો નથી તેનાથી કુમતિ સદૈવ દૂર રહે છે. (૬) ઉક્ત ધર્મ પર શ્રદ્ધા નથી તે જ મોટામાં મોટી કુમતિ છે. (૭) સર્વ તીર્થંકરોએ કેવળદર્શનથી જોઈ કેવળજ્ઞાનથી જાણી અને યથાખ્યાતચારિત્રથી પૂર્ણનુભવયુક્ત થઈને ઉપરોક્ત ધર્મનું ફરમાન કર્યું છે. (૮) સંસારી જીવો મિથ્યાપાસમાં ફસાયેલા રહી અનંત સંસાર પરિભ્રમણ કરે છે. (૯) તત્ત્વદર્શી મહાત્મા તે જ છે કે, જે પ્રમાદનો નિરંતર ત્યાગ કરી સાવધાન પણે ધર્મપંથે વિચરે છે. ઇતિ પ્રથમોદેશ. (૧) જે કર્મબંધનના હેતુઓ છે તે સમકિતીઓને માટે વખત પ૨ કર્મ છોડવાના હેતુ નીવડે છે. (૨) અને જે કર્મ છોડવાના હેતુઓ છે તે મિથ્યાત્વીઓને માટે કર્મબંધનના હેતુ નીવડે છે. (૩)જેટલા કર્મ બાંધવાના હેતુ છે તેટલા જ કર્મ છોડવાના હેતુ છે. (૪) જગજંતુઓને કર્મથી પીડિત થતા જોઈને કોણ ધર્મ કરવામાં પ્રવૃત નહિ થાય? સુખાર્થી હશે તો તે અવશ્ય થશે. (૫) વિષયાસક્ત અને પ્રમાદી જીવ પણ જૈનશાસ્ત્રનું શ્રવણ કરી ધર્માત્મા બની જાય છે. (૬) અજ્ઞાનીઓ કાળનો કોળિયો બનવા છતાં પણ આરંભમાં તલ્લીન બની ભવભ્રમણની વૃદ્ધિ કરે છે. (૭) નરકના દુઃખના પણ કેટલાક શોખીન જીવો સમકિત અધિકાર |૩૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy