SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) પરપાખંડ સંથવો (પરિચય) : કેવી રીતે મીઠાની સંગતથી દૂધ ફાટીને બગડી જાય છે, તે દૂધરૂપે રહેતું નથી, તેમ તેનું દહીં પણ બનતું નથી. માખણ પણ નીકળતું નથી કે છાશ પણ બનતી નથી, એમ સર્વ પ્રકારે તે નિરર્થક બની જાય છે. એવી જ રીતે, પાખંડીઓની સોબતમાં રહેવાથી સોબત એવી અસર’ એ કહેવત પ્રમાણે તેઓ પણ સમ્યકત્વથી ભ્રષ્ટ બની જાય છે. આત્માનું શોધન કરી શકતા નથી. જેવી રીતે સતી વેશ્યાની સોબતમાં રહે તો ભ્રષ્ટ થઈ જાય છે અને પરપુરુષની પ્રશંસાથી બદનામ થાય છે, તેવી જ રીતે છેલ્લા બે અતિચારોના સેવનથી સમકિતીની પણ એવી જ દશા થવા પામે છે. મિથ્યાત્વી સાહિત્યનો વાંચવા રૂપે પણ પરિચય કરવો જોઈએ નહિ. ચોથા અને પાંચમાં અતિચારની આદિમાં “પર” શબ્દ લગાડયો છે તેનો જૈનોએ દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરી સાર ગ્રહણ કરવાનો છે. સ્વમતના અનુયાયીઓથી મતભેદ હોય તે પણ તેમના થતાં ગુણોની પ્રશંસા કરવી, પણ નિંદા તો કરવી જ નહિ. આજકાલ હેન્ડબીલો અને પુસ્તકો દ્વારા જૈનો પરસ્પર નિંદા અને ગાલિપ્રદાન કરી આનંદ માને છે તે ઘણા ખેદનો વિષય છે. આવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી જૈન શાસન નબળું પડે છે. કેટલાક જૈનો શ્રદ્ધાભ્રષ્ટ થઈ અન્યમતિ બની જાય છે માટે મતભેદ હોય છતાં પણ મહાવીરના અનુયાયીઓની નિંદા કરવાનું પાપ તો સેવવું જ નહિ. ઉપરોક્ત પાંચ દૂષણોનું વિશેષરૂપે સેવન કરવાથી સમકિતનો નાશ થાય છે અને થોડા સેવનથી સમકિત મલિન બને છે. એવું જાણી વિવેકી જનો પાંચે દૂષણોથી પોતાના આત્માને બચાવી નિર્મળ રાખે છે. ' છટું બોલે - લક્ષણ ૫ જેમ પ્રકાશના લક્ષણ વડે સૂર્યની પિછાણ થાય છે. શીતળ પ્રકાશ વડે ચંદ્રની પિછાણ થાય છે તેવી જ રીતે નિમ્નોક્ત ૫ લક્ષણોથી સમકિતી જીવની પિછાણ થઈ શકે છે. (૧) સમ ઉપશમભાવ રાખે શત્રુ, મિત્ર પર અને શુભાશુભ પ્રસંગોમાં સમભાવ રાખે અર્થાત મિત્ર પર મોહરાગ કરે નહિ અને શત્રુનું બૂરું ચિંતવે નહિ. આવા પ્રસંગોમાં સમકિતી એવો વિચાર કરે છે કે ભલું, બૂરું, નફો, નુકશાન, યશ, અપયશ વગેરે થાય છે તેનું ઉત્પાદન કારણ મેં પૂર્વે સંચેલાં ૨૮૬ સમકિત અધિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy