SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : યથાતથ્ય (વાસ્તવિક) ભાવોના અસ્તિત્વનો ઉપદેશ દેવો અને શુધ્ધ ભાવથી તેના ઉપર શ્રધ્ધા રાખવી તેનું નામ સમ્યક્ત્વ. જે પદાર્થ જેવા સ્વરૂપે છે તેને તેવા જ સ્વરૂપે જાણે, શ્રદ્ધે, પ્રરૂપે તે સમકિત કહેવાય. સમકિતની પ્રાપ્તિ બે પ્રકારે થાય છે. (૧) નિસર્ગથી એટલે સ્વભાવથી અને (૨) અધિંગમથી એટલે ગુર્વાદિકના ઉપદેશથી, એ બે પ્રકારે થાય છે. નિશ્ચયમાં તો અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિ એ સાત પ્રકૃતિના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી ક્ષાયિક, ઉપશમ કે ક્ષયોપશમ સમકિતની પ્રાપ્તિ થાય છે. તેથી મતિ, શ્રુત કે જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થાય. તથા તીર્થંકરના કે સદ્ગુરુના ઉપદેશથી જડ ચેતનના ભેદવિજ્ઞાનને પ્રાપ્ત કરી જીવાજીવ, ધર્માધર્મ વગેરેના યથાતથ્ય તાદશ્ય સ્વરૂપને જાણીને તેવું જ શ્રધ્ધાન્ કરે તેને સમકિતી કહેવો. ‘લબ્ધિસાર’ નામક ગ્રંથમાં મિથ્યાત્વી જીવને સમકિત પ્રાપ્ત થવાનું વિધાન નીચે પ્રમાણે દર્શાવ્યું છે. સંશી, પર્યાપ્ત, મંદકષાયી, ભવ્ય, ગુણદોષના વિચારવાળો સાકારોપયોગી (જ્ઞાની), જાગૃત અવસ્થાવાળો એટલે ગુણવાળો જે જીવ હોય તે જ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. સમકિત પ્રાપ્ત કરવાવાળાને પાંચ લબ્ધિ હોય છે. (૧) ક્ષયોપશમ લબ્ધિ (૨) વિશુદ્ધ લબ્ધિનું (૩) દેશનાલબ્ધિ (૪) પ્રયોગલબ્ધિ (૫) કરણલબ્ધિ. હવે પાંચલબ્ધિનું સ્વરૂપ કહે છે. (૧) અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં કોઈ વખતે કોઈ આત્માને એવો યોગ બને કે, જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મોની સર્વ અપ્રશસ્ત (બૂરી) પ્રકૃતિઓના અનુભાગ (રસ)ને સમયે સમયે અનંતગુણ ઘટાડતાં ઘટાડતાં ક્રમશઃ ઉપ૨ આવે છે ત્યારે ‘ક્ષયોપશમ લબ્ધિ’ પ્રાપ્ત થાય છે. (૨) આ ક્ષયોપશમ લબ્ધિના પ્રતાપથી અશુભ કર્મના સોદય ઘટે છે. તેથી સંક્લિષ્ટ પરિણામની હાનિ અને વિશુદ્ધ પરિણામની વૃધ્ધિ થવાથી જીવને શાતાવેદનીયાદિ શુભ કર્મ પ્રકૃતિઓનો બંધ કરવાવાળા ધર્માનુરાગરૂપ શુભ પરિણામોની પ્રાપ્તિ થાય છે તે ‘વિશુધ્ધ લબ્ધિ’. (૩) આ વિશુધ્ધ લબ્ધિના પ્રભાવથી આચાર્યાદિના દર્શન કરવાની અને વાણી શ્રવણની અભિલાષા જાગૃત થાય છે અને સત્સમાગમ કરી ષવ્ય નવ તત્ત્વ ઇત્યાદિનો જ્ઞાતા બને, તે ‘દેશના લબ્ધિ’. શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only |૨૬૯ www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy