SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે) તેમ જ ભવાન્તરનું વેર પણ નાશ પામે છે. (૨૫) ભગવાનને દેખતાં જ મતાભિમાની અન્ય દર્શની પોતાના અભિમાનને છોડીને નમ્ર બને છે. (૨૬) ભગવાનની પાસે વાદી-પ્રતિવાદી વાદ કરવા આવે, તો તે ઉત્તર આપવામાં અસમર્થ બને છે. (૨૭) ભગવાનની ચારે બાજુએ ૨૫-૨૫ યોજન સુધી ‘ઇતિભીતિ’ (તીડ મુષકાદ) ઉપદ્રવો થતાં નથી. (૨૮) કોલેરા કે પ્લેગાદિની બિમારી થતી નથી. (૨૯) સ્વદેશના રાજા કે સેનાના ઉપદ્રવો થતાં નથી. (૩૦) પરદેશના રાજા કે સેનાના ઉપદ્રવો થતાં નથી. (૩૧) અતિવૃષ્ટિ (બહુ જ વરસવું) પણ થતી નથી. (૩૨) અનાવૃષ્ટિ (બિલકુલ ન વરસવું) પણ થતી નથી. (૩૩) દુર્ભિક્ષ કે દુષ્કાળ પડતાં નથી. (૩૪) જ્યાં ઉપદ્રવો, બિમારીઓ કે યુદ્ધના ભય હોય ત્યાં જો ભગવાન પધા૨ે તો તે જ ક્ષણે બધા ભય નાશ પામે છે. આ ૩૪ અતિશયો માંહેલા ૪ અતિશયો જન્મથી જ હોય. ૧૧ કેવળજ્ઞાન થયા બાદ થાય છે, જ્યારે બાકીના ૧૯ દેવતાઓના કરેલા માનવામાં આવે છે. અરિહંતની વાણીના ૩૫ ગુણો (૧) સંસ્કાર યુક્ત વચન બોલે. (૨) એક યોજનમાં રહેલી પરિષદ સારી રીતે સાંભળી શકે એવા ઉચ્ચ સ્વરથી બોલે. (૩) ‘રે’, ‘તું’ ઇત્યાદિ તુચ્છતારહિત સાદાં અને માન ભર્યા વચન બોલે. (૪) મેઘનાદની જેમ ભગવાનની વાણી સૂત્રથી તેમજ અર્થથી ગાંભીર્ય ભરેલી હોય છે. ઉચ્ચાર અને તત્ત્વ બંનેમાં વાણીનું રહસ્ય ઘણું ઊંડું હોય છે. (૫) જેમ ગુફા કે વિશાળ ભવનમાં બોલવાથી પ્રતિધ્વનિ ઉઠે છે તેમ ભગવાનની વાણીમાં પણ પ્રતિધ્વનિ (Thundering tone) ઊઠે છે. (૬) ભગવાનનાં વચનો શ્રોતાને ઘી અને મધ જેવાં સ્નિગ્ધ લાગે છે. (૭) ભગવાનના વચનો ૬ રાગ અને ૩૦ રાગિણીમય (Harmonious tone) નીકળવાથી જેમ સર્પ બંસરી પર અને મૃગ વીણા ૫૨ તલ્લીન થઈ જાય છે, તેમ શ્રોતા પણ તલ્લીન થઈ જાય છે, (૮) ભગવાનનાં વચનો અર્થ રૂપે હોય છે. જેમાં શબ્દ થોડા અને અર્થ વિસ્તૃત હોય છે. (૯) ભગવાનનાં વચનો પરસ્પર વિરોધ રહિત હોય છે. પહેલાં ‘‘અહિંસા પરમો ધર્મ ’' કહીને પછી ‘ધર્માર્થે હિંસા કરવામાં દોષ નહિ” એવાં વિરોધી વચના કદી બોલતાં નથી. (૧૦) ચાલુ અર્થને પૂર્ણ કર્યા બાદ બીજા અર્થને ગ્રહણ કરે. શ્રી જૈન તત્ત્વ સાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005285
Book TitleJain Tattvasara
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni, Chetanmuni
PublisherNiranjanmuni
Publication Year2000
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy